SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર குழுழுழுழுழுழுகுகு SSSSSS Jain Education International દઇને તેમજ નગરને, અંતઃપુરને, દેશવાસી જનતાને ત્યજી દઇને, તથા ઘણા એવા રત્ન, મણિ, મુકતાફળ, દક્ષિણાવર્તશંખ, સ્ફટિક, કસોટી આદિ પત્થર, પરવાળા વગેરે ઉત્તમ સારવસ્તુઓને ત્યજી દઇને, વળી એ બધી વસ્તુ અસ્થિર છે, વિનશ્વર છે, ક્ષણિક છે, દુઃખદાયી છે એમ જાણીને વિશેષે તજવા યોગ્ય છે એને તજી દે છે, વગોવે છે, તેમજ યાચકોને દાન દઇને અને ગોત્રીઓને ધનનો ભાગ વહેંચી આપીને એ વસ્તુઓને ત્યજી દે છે. પ્રભુને દીક્ષા લેવાને એક વર્ષ બાકી રહ્યું ત્યારથી પ્રભુએ દરરોજ સૂર્યોદય થવાથી આરંભીને સવાપહોર દિવસ ચડે ત્યાં સુધી વાર્ષિકદાન આપવા માંડયું. એ સમયમાં પ્રભુ દ૨૨ોજ એક ક્રોડ અને આઠ લાખ સોનૈયાનું દાન દેવા લાગ્યા, સાથે વસ્ત્રો, આભૂષણો, મણિરત્નો, મુક્તાફળો, અને મેવા મીઠાઇનું પણ દરરોજ દાન દેવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢંઢેરો પીટાવી જેને જે જોઇએ તે લઇ જાવ” એવી ઉદ્ઘોષણા કરાવી. પ્રભુદાન આપે ત્યારે ઇન્દ્ર દેવોને આદેશ કરી ભંડારોને ભરાવી રાખે, અહીં દાન દેવાના છ અતિશય કહે છે. સૌધર્મેન્દ્ર તીર્થંકરના હાથમાં સ્થિતિ કરે, ઇશાનેન્દ્ર સુવર્ણની છડી હાથમાં રાખી દેવોને દાન લેતા નિવારે, અને મનુષ્યના લલાટમાં હોય તેટલું જ તે માગે એવી પ્રવૃત્તિ રાખે, ચમરેન્દ્ર ઉભો રહી તીર્થંકરના હાથમાં ઓછી કે વધારે સોનામહોર ન આવે તેની વ્યવસ્થા કરે, ભવનપતિ દેવો અન્યક્ષેત્રના મનુષ્યોને દાન લેવા તેડી આવે, વાણવ્યંતર દેવો તે મનુષ્યોને તેમના ક્ષેત્રમાં પાછા મૂકી આવે. જ્યોતિષિ દેવો વિદ્યાધરોને દાન લેવાની ખબર આપે. જ્યારે પ્રભુએ વાર્ષિક દાન આપવાની શરૂઆત કરી ત્યારે નંદિવર્ધન રાજાએ પણ મોટી ત્રણ દાનશાળાઓ મંડાવી, એક દાનશાળાથી ભરતક્ષેત્રના માનવોને અન્નનું દાન આપવાની શરૂઆત કરી, બીજી દાનશાળાથી વસ્ત્ર વગેરે આપવાની શરૂઆત કરી અને ત્રીજી દાનશાળાથી આભૂષણો વગેરે આપવાની શરૂઆત કરી. તીર્થંકરોએ પોતાના હાથે આપેલા દાનના પ્રભાવે ઇન્દ્રોને માંહોમાંહે બે વર્ષ સુધી કલહ ન થાય, ચક્રવર્તી વગેરે રાજાઓ તે દાનના સોનૈયા પોતાના ભંડારમાં રાખે તો એના પ્રભાવથી ચાર For Personal & Private Use Only E குழுழுழுபூ વ્યાખ્યાન ૫ ૧૬૩ www.jainliterary clg
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy