________________
સુણજે રે બ્રાઈ સાદ
૮૧ અને ચામડું તો હૂંડિયામણના હડકવાને સંતોષવા વિદેશોમાં નિકાસ થાય છે, પણ આ વહેતી લોહીની નીકોનું આ લોકો શું કરતા હરો? અને આ પ્રશ્નના જવાબમાં તલખાનાના જનરલ મેનેજરે ખુદે કહેલ કે એલોપથીની દવા બનાવતી અનેક ફાર્માસ્યુટીકલ કંપનીઓ સાથે કતલ થયેલા પશુઓનું લોહી ટીનબંધ સપ્લાય કરવાનો તેમનો કોન્ટેકટ છે. આ કંપનીઓ પશુઓના લોહીમાંથી હિમોગ્લોબીન તારવી લઈ તેમાંથી બ્લડ ટોનિકસ બનાવતી હોય એ જાણ્યા પછી પણ જો વાતવાતમાં ડૉક્ટર પાસે દોડી જતાં ખચકાટ ન થતો હોય તો સમજવું કે આપણા અહિંસક ભાવમાં ક્યાંક મોટી કચાશ છે. હકીકતમાં તો એલોપથીની જે દવાઓમાં આવા પ્રાણિજ પદાર્થો વપરાતા ન હોય તેવી દવાઓ શોધવા માટે પણ પ્રાણીઓ પર જે ફૂર અત્યાચારો કરવામાં આવે છે તેનું આછેરું વર્ણન પણ સાંભળવામાં આવે તો કાળજુ કંપી જાય તેવું હોય છે. પ્રાણીઓ પરના આ અખતરાઓની વિરુદ્ધમાં યુરોપ-અમેરિકાના માંસાહારી દેશોમાં પણ વિરોધનો એવો વાવંટોળ ઊઠ્યો છે કે જેના પરિણામે હજી ગયા વર્ષે જ જ્યારે પર્યુષણાપર્વ નિમિત્તે ધર્મ-પ્રવચનો માટે અમેરિકાના ઓહાયો સ્ટેટના સિનસિનાટી શહેરમાં જવાનું થયેલું ત્યારે જાણવા મળેલ કે ત્યાંના સ્થાનિક અમેરિકન યુવાન-યુવતીઓના એક એનિમલ રાઈટસ’ ગુપે ‘પ્રોકટર એન્ડ ગેમ્બલ’ નામની મલ્ટિનેશનલ ફાર્માસ્યુટીકલ કંપનીએ પોતાના હેડકવાર્ટરમાં “આવાં હિંસક અખતરાઓ માટે રાખેલ પ્રાણીઓને રવિવારના એક દિવસે સામૂહિક હલ્લો કરીને તાળાં તોડીને પાંજરામાંથી મુક્ત કરી દીધેલ. પ્રાણીદયાનું વાતાવરણ જેમને જન્મથી જ મળ્યું નથી તેવા અમેરિકન યુવાનયુવતીઓ પણ જો પ્રાણીપ્રેમની આટલી ઉત્કટ ભાવના ધરાવતા હોય તો લોહીમાં જ જેમને ઉત્તમ સંસ્કારો મળ્યા છે તેવા યુવાનોની સ્થિતિ શું હોવી જોઈએ? એને બદલે આજે તો એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે પગ નીચે ભૂલથી કીડી પણ ચગદાઈ જાય તો જેના દિલમાંથી અરેરાટી નીકળી જાય તેવાં કુળમાં જન્મેલ બાળક તેને ડૉક્ટર બનાવવાના તેના માતા-પિતાના અભરખાને પૂરા કરવા મેડિકલ કૉલેજમાં જઈને ઠંડે કલેજે જીવતા દેડકા પણ ચીરતો થઈ જાય છે. હોમિયોપેથીની દવાઓને તદ્દન નિર્દોષ માની લેનાર લોકોની જાણ માટે એટલું જણાવવું જરૂરી છે કે હોમિયોપથીની અમુક દવાઓમાં પણ પ્રાણીજ પદાર્થોના વપરાશની પૂરી સંભાવના રહેલી છે. દયા નિરપેક્ષ બનેલા આ યુગમાં જીલેટીન જેવા પ્રાણીજ પદાર્થોનો તો પ્રિન્ટિંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org