SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસો મળશે. બેન્ડવાજાંને બદલે ગામના ઢોલી, તાળા, રાવણહથ્થાવાળા વગેરેનો ઉપયોગ કરવો. ધજા-કમાન-પડદા વગેરે શણગાર માટે ગામના કાણકર કુટુંબ પાસે જવું. તે વણકાર કામ ન કરતો હોય તો પણ ગા સુથાર પાસે સાળ બનાવરાવી, વાંસની તકલી (નીચે માટીની લુગદી) પર કંતાવી તેનું કામ શરૂ કરાવવું પોતાના કુટુંબની સઘળી યે વસ્ત્ર જરૂરિયાતો તેની પાસેથી જ લેવાનું નક્કી કરેલ હોય તેથી એક વણકર તો ઊભો થઈ જ જાય. સામૈયા પ્રસંગે પોતાનું મકાન રંગાવવાનું કામ ગામાંથી પ્રાપ્ય ખનીજો માટી-બડી-વનસ્પતિઓથી બનતા રંગો બનાવરાવી ગામના,કડિયા પારો જ કરાવે. શંખજીરા વડે સુંદર ઝીકી પણ કરાવે. ગામલોકો તો પોતપોતાના ઘર મહાત્માના પ્રભાવની ઉડતી વાતો સાંભળી તેમના આગમનની તૈયારી રૂપે જાતે જ શણગારશેરંગાવશે. સાધારણ માંણસોના ઘરની ૨સ્તે પડેતી દીવાલો નગરશેઠ રંગાવી આપે. પ્રવેશ પ્રરાંગે થનાર જમણાદિ માટે તેલ જોઈએ તે માટે ગામના ઘાંગી પારો ઘાણી શરૂ કાંતી . તલનું કે સરર્સિયાનું તેલ વાપરે. જિનમંદિરને પણ રંગાવે. રાત્રે શિખરાદિ પર ઘાણીમાં કઢાવેલ કોપરેલ કે દીવેલ આદિથી ગામના કુંૌર દ્વારા બનાવાયેલ માટીના કોડિયામાં ભવ્ય રોશની કરે. અન્યોના ધર્મસ્થાનોને પણ યથાયોગ્ય રીતે રોશની આદિથી શણગારે કાનોમાં ત્રાંબા-પિત્તળનાં પોતાનાં તથા લોકનાં ચકચકાટ કરતાં વારાણો (સ્ટીલ-એયુ.જર્મન સિલ્વર-પ્લાસ્ટિક આદિના નહિ) ની શોભા કરે. (ભારતભરના સંઘોના જિનાલયોમાં વાટકીઓ વગેરે સામગ્રીમાં પિત્તળ-ત્રાંબાને બદલે જુનિ સિલ્વર ઘૂસી ગયું છે તે દૂર કરાવવું જોઈએ . જર્મન-સિલ્વરમાં નિકલ જસત અને ત્રાંબું હોય છે જેમાં નિકલને હલડી ધાતુ ગણી શકાય. પ્રભુજીના ગર્ભગૃહમાં જો લોહ પ્રવેશની મનાઈ છે.તો નિકલ ોશી શકે ?) આંબા આસોપાલવાદિના તોરણ બંધાવે. અઢારે વર્ણને સોંપવાના આ કામો તેમના પરંપરાગત આગેવાનો દ્વારા જ સોંપે જેથી તેમનું બળ વધે. હવેનું મુખ્ય કામ મહાત્માના પ્રવચનાદિથી સાધવાનું હોવાથી કાં રામાયણ-મહાભારત કે પછી માનુસારીના ૩૫ ગુણોને આશ્રયીને પ્રવચનો ગોઠવાય જેમાં વધુમાં વધુ સંખ્યા આવે તે રીતે પ્રભાવનાદિ ગોઠવાય. સમય પણ એવો રખાય જે બધા ધંધાદારીઓને અનુકૂળ હોય. સૌથી પહેલું કરવા યોગ્ય કાર્ય તે ગામમાંથી લોકશાહી તંત્રના પ્રતીક સમી ગ્રામ પંચાયતની વિદાય હોવાથી પ્રવચનોમાં તથા તે સિવાય આગેવાનાદિ રાથેની વંદનાદિ વખતની તચીતોમાં પંચાયતની ચૂંટણીઓના કારણે સમગ્ર ગામમાં ઊભો થતો કલહ વિખવાદ આંતર-સંઘર્ષ, ટાંટીઆ ખેંચ-પક્ષવાદ આદિનું વર્ણન કરી ચૂંટીણીને બદલે દરેક જ્ઞાતિના એક-એક આગેવાનને લઈને પ્રાચીન પ્રણાલીનું પંચ બનાવી તે ગામનો વહીવટ કરે તે રીતે માર્ગદર્શન આપી Jain Education International શિર તુજ આણ વહું. For Personal & Private Use Only ૭૭ www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy