________________
પાઠો જોયા પછી કયા શાણા વહીવટદારો નર્મદા યોજના જેવી મહારંભયુક્ત યોજનાઓમાં જિનેશ્વરની આજ્ઞાથી વિપરીતપણે નાણાં રોકી ભવસમુદ્રમાં ડૂબવાનું પરાંદ કરશે ?
હકીકતમાં સામાયિકો કે ચોપાનિયાંઓ દ્વારા આવી બાબતો તરફ શ્રાવકે ધ્યાન ખેંચવું તે અનધિકૃત ચેષ્ટા ગણાય, તેથી જિનશાસનના રાજાધિરાજની જગ્યાએ બિરાજમાન અગ્રણી પૂજ્ય આથાર્ય ભગવંતોને વિનંતિ છે કે, ઉપરોક્ત બાબત અંગે શાસ્ત્રીય માર્ગદર્શન આપવાની કૃપા કરી પોતપોતાના અવગ્રહક્ષેત્રમાં આવતાં ધર્મસ્થાનોનાં વહીવટદારોને આ બાબતનો ખ્યાલ આપી દોષમાંથી બચાવી લે.તે જ રીતે ધર્મસ્થાનોના વહીવટદારો પણ આ તથા આવી જ દિ' ઊગ્યે ખડી થતી જુદી જુદી બાબતો અંગે પૂજનીય ગીતાર્થ ભગવંતોનું માર્ગદર્શન મેળવ્યા વિના એક ડગલું પણ આગળ ન વધે, એ જ શુભેચ્છા.
Jain Education International
શિર તુજ આણ વ
'
For Personal & Private Use Only
૩૭
www.jainelibrary.org