SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International કે રારસંભાળના, વિહાર માર્ગમાં સાધુ-સાધ્વીજીની ભક્તિના વગેરે વિરાળ પ્રશ્નો ઊભા થયા. તે એટલે સુધી કે અમદાવાદ-મુંબઈ જેવા શહેરોની ઝુપડપટ્ટીઓમાં પણ જૈનોને વરાના મજબૂર થવું પડયું. અપૂજ રહેતા જિમંદિરોના, વસતિવિહી થતા જતા વિહારમાર્ગોના કે ઝૂંપડપટ્ટીઓમાં વરસતા રાધર્મિકોના પ્રશ્નોથી ખૂબ ચિંતિત ભાઈઓ કોઈ વાર આ રીતે આ પ્રશ્નના મૂળમાં ગયા હશે ખરા ? અને જો ખરેખર ગયા હોત, તો ગામેગામ ખૂલતા કતલખાના કે મરઘા મારણ (પોલ્ટ્રી) કેન્દ્રો તેમને જેટલી ચિંતા ઉપજાવે છે, તેટલી ચિંતા ગામેગામ ખૂલતી બેંકોની શાખાઓ ઉપજાવતી હશે ખરી ? અધર્મી સરકારના પાશવી બળ સામે આપણું કાંઈ સાલે નહિ, અને બેંકોના કે બીજી કોઈ પણ હિંસક યોજનાના જુવાળને આપણે કદાચ ગાળી ન શકીએ તે જુદી વાત છે. (એમ તો આપણે કતલખાનાઓને પણ ક્યાં રોકી શકીએ છીએ ? પણ કતલખાનાં ખૂલતાં રોકવા શકય પ્રયાસ તો કરી છૂટીએ ને ? તથા તેને’પ્રગતિ -વિકાસ તો ન માનીએ ને ?) પણ તેમાં આપણો રાહકાર ન ભળે, અને કદાચ રાહયોગ આપવો પણ પડે તો ય તે ખોટું છે તેમ તો મારીએ ને ? હકીકતમાં તો કારખાનાઓ અને યંત્ર ઉદ્યોગોના કર્માદાનનો જે ઘોર આરંભસમારંભ આટલા મોટા પાયા ઉપર પ્રરાર્યો છે, તેના મૂળમાં બેંકો, યુનિટ ટ્રસ્ટ જેવી માં સંસ્થાઓનો મોટો ફાળો છે અને એ બેંકો વગેરેની રાદ્ધરતામાં જૈનોની મોટી મૂડી ઉપરાંત ધર્માદાના રોકાયેલા અબજો રૂપિયાનો પણ ફાળો છે. I.... લાખો કરીડોની, રાંખ્યામાં દાઉદી વ્હોરા ાઈઓ કે ધૂક મુલાનો આજે પણ બેંકો ૨ાથે વ્યવહાર કર્યા સિવાય પોતાનું જીવન મજેથી ગુજારતા હોય છે. અર્થાત્ બેંકવિહીન જીવનવ્યવહાર સાવ શક્ય જ નથી એવું તો નથી. પરંતુ માની લો કે કદાંચ સર્વથા તેવું જીવન શક્ય ન હોય તો પણ એકવાર બેંક-યુનિટ-શેરો-બોન્ડઝ વિગેરેમાં પૈસા રોકવાનું અનિષ્ટત્વ સમજાઈ જાય, તો તેમાંથી શક્ય અંશે બચવાના માર્ગો અતશ્ય મળી રહેશે. એ પછી પોતાના કુટુંબીની પુણ્યતિથિ નિમિત્તે રૂા. ૧૦૦૦/-ની આંગીની કાયમી તિથિ નક્કી કરી, એટલી રકમ બેંકમાં મૂકી દર વર્ષે તેના વ્યાજમાં રૂ ૧૦૦ની આંગી કરાવવાને બદલે, એ હજારે ય રૂપિયા એકવાર ખર્ચી પ્રભુજીની ભવ્ય અંગરચના કરાવવાનું મન થશે. કાયમી તિથેિની યોજના કરીને આયંબિલ ખાતું કે ઉકાળેલ પાણીનું ખાતું ચલાલવાને બદલે, ઘેર ઘેર આયંબિલ ક૨વાનો કે ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવાનો મહિમા પ્રસારાશે. પુસ્તકો છાપવાથી માંડીને ચોપાનિયાં ચલાવવાં સુધીની શિર તુરું આણ વહું.. For Personal & Private Use Only ૨૦ www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy