________________
જોઈએ. કંઈપણ જ્ઞાન લેવાની કોઈને બંધી કરવાની અહીં કલ્પના નથી. પણ કેળવણીનો ક્રમ આ વિચારોને ઉદ્દેશીને ઘડાયેલો ન હોય તો બન્ને વર્ગને પોતાના ક્ષેત્રમાં પૂર્ણતા મેળવવાની તક ન મળે. (૧૬) જેમ પુરૂષને અપાય છે તેમ જ સ્ત્રીને કેળવણી અપાવી જોઈએ એમ હું માનતો નથી.
(૧૭) હવે બહેનો કંઈક સ્વતંત્ર વિચારસરણી ધરાવવા લાગી છે, તો તેનુંય પરિણામ ખરાબ જોઈ રહયો છું. કારણ કે આ પ્રત્યાઘાત એવો જબરો આવ્યો છે કે સ્વચ્છંદતાને માર્ગે બહેનો વળી રહી છે. અને તેમાંથી ઉગારવી બહુ મુશ્કેલ છે.
(૧૮) સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઈ રહી છે તે હું જાણું છું. પુરૂષ સમોવડી થવાના ઉન્માદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય ભૂલી છે.
(૧૯) જયાં સ્ત્રીઓને તારમાસ્તરનું કે ટાઈપીસ્ટનું કે બીબા ગોઠવવાનું કામ કરવું પડે ત્યાં સુવ્યવસ્થાનો ભંગ થયેલો હોવો જોઈએ. તે પ્રજાએ પોતાની શક્તિનું દેવાળું કાઢયું છે. તે પ્રજા પોતાની થાપણ ઉપર રહેવા લાગી છે એવી મારી માન્યતા છે. (૨૦) એક તરફથી આપણે સ્ત્રીને અંધકારમાં અને અધમ
Jain Education International
055
For Personal & Private Use Only
www.jainelibrary.org