SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પાણી , પરંતુ આ વાપીના મન પર આવા કોઈપણ પ્રકને ડખલગીરી કી માનવ હકોના નામે, ન્યાયના નામે, જાતિઓના સ્વાધીનતાના અધિકારોને નામે કોઈ મુશ્કેલીના સમયે દેશમાં જબરે દાવાનળ ફેલાવી શકે છે. તેમ જ આ દેશના વિભાજનની હારમાળા શરૂ કરી શકે છે. પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં પણ પીછેહઠ . કોઈપણ દેશે સ્વમાનભેર જીવવું હોય તે સહુ પ્રથમ પ્રજાને પાણી, અનાજ, વસ્ત્ર અને રહેઠાણની સુવિધા વહેલામાં વહેલી તકે આપવી જોઈએ, પરંતુ આ તમામ ક્ષેત્રે સ્વાધીનતાનાં ૩૦ વરસ દર મિયાન આપણે પીછેહઠ કરી છે. સ્વાધીનતાને લાભ માત્ર અમુક ઔદ્યોગિક પેઢીઓને તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓને, પરદેશીઓને અને ભ્રષ્ટાચારીઓને જ મળે છે. પ્રગતિને નામે ઉપર લખેલા વર્ગોની આર્થિક પ્રગતિ થઈ છે. પરંતુ દેશ આર્થિક, સાંસ્કૃતિક અને નૈતિક રીતે ખાડામાં પડે છે. કેળવણીનું લક્ષ દેશની સાચી પ્રગતિને પાયે કેળવણી છે. કેળવણે ચારિત્ર્યનું, ઘડતર કરનારી મોક્ષલક્ષી અને આસુરી બળીને પડકાર કરવાની શક્તિ આપનારી હેવી જોઈએ. જ્યારે હાલની સરકારને પ્રગતિને માપદંડ હિંસા, ભ્રષ્ટાચાર, અને શેષણ દ્વારા થતા અમુક વર્ગની આર્થિક ઉન્નતિ છે. ઈતિહાસ એ કેળવણીનું અગત્યનું અંગ છે. ઈતિહાસ દ્વારા પ્રજાનું ચારિત્ર્ય ઘડાય છે. પણ બેટા ઈતિહાસ દ્વારા પ્રજાનું પતન પણ થાય છે. તેનામાં લઘુતા ગ્રંથિ પેદા કરી શકાય છે. પરદેશીઓની દયા ઉપર જ જીવે તેવી કાયર પણ બનાવી શકાય છે. આપણી પ્રજા તેને એક દાખલ છે. હજારો વરસ સુધી પરદેશીઓ તલવારના બળે હિંદુ સંસ્કૃતિને નાશ કરવા મથ્યા પણ સફળ ન થયા. તેમના પ્રયત્ન સામે લેકે જૌહર અને કેસરિયાં કરીને અચલ રહા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy