________________
૨૩૯
એ દેવે મંદિરની શુદ્ધિ ત્યાં જળવાશે ખરી? ખ્રિસ્તી પ્રજાની અને આપણી શુદ્ધિની વ્યાખ્યામાં ઘણે તફાવત છે. તેઓ માસિક ધર્મ પાળતા નથી, મૃત મનુષ્યને અડકીને કે સ્મશાનમાં જઈ આવીને નહાતા નથી, સંડાસ જઈ આવીને હાથે પણ જોતા નહિ હોય! તે એ લેકે આપણાં મંદિરોમાં પ્રવેશી ભ્રષ્ટ નહિ કરે? અને જે મંદિરે ભ્રષ્ટ થાય છે તે પાપ કેવું હશે?
ધીમે રહીને એ મંદિરોના ધર્માચાર્યો પણ તેમનામાંથી જ નિમાશે. તે વખતે મંદિરોને તમામ વહેવાર બદલાઈ જશે. અહીં તે ભગવાન હવેલીમાં મગજના લાડુ, કોર અને મઠડી આરોગે છે. ત્યાં કદાચ પાઉંભાજી આરોગવા લાગશે અને તેનું અનુકરણ આપણે કરીશું.
અને આવતાં વરસમાં ભરાનારી વિશ્વધર્મ પરિષદમાં કદાચ વિષ્ણવ બનેલા ગેરા ધર્માચાર્યો જ એકવિશ્વ અને એકધર્મને નાદ સંભળાવતાં જેન અને વેદધર્મની તમામ શાખાઓને વિશ્વશાંતિની ખાતર, માનવતાની ખાતર, વિશ્વ સંગઠનની ખાતર, ખ્રિસ્તી ધર્મમાં દાખલ થઈ જવાનું આમંત્રણ સ્વીકારનાર પક્ષ મજૂદ હશે.
ભૂતકાળમાં આપણા ધર્માચાર્યોએ બળજબરીથી કે દગાથી “વટલાવવામાં આવેલા હિંદુઓને પ્રાયશ્ચિત કરાવી ફરીથી સમાજમાં ન લેવાની ભૂલ કરી હતી. હવે ખુદ આપણા ભગવાનની મૂતિઓને જ અભડાવવા માટે ત્યાં મેલવાની વધારે મેટી ભૂલ કરે છે. આ પરશામાં આપણા જ્ઞાનમંદિરે સ્થાપે એ જ સાચું કાર્ય
પરદેશમાં આપણાં દેવમંદિર બાંધવાં એ ભૂલ પણ છે, પાપ પણ છે. ત્યાં જરૂર છે-આપણાં જ્ઞાનમંદિર બાંધવાની, ને જ્ઞાનમંદિરે દ્વારા આપણા ઉપનિષદ અને આગનાં ઉચ્ચ મૂલ્ય અને પવિત્ર દર્શનની, ત્યાંની પ્રજાને સમજ આપવાની અને આપણું તત્વજ્ઞાન આપણું દર્શન. આપણા આચારવિચાર, આપણું ખેરાક-વિજ્ઞાન એ કે સમજે અને સ્વીકારે તે ભલે પિતાના પૈસે દેવમંદિરો બાંધે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org