SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પેાતાના હાથે પેાતાના નાશ અંગ્રેજો તો આ દેશમાંથી ઉચાળા ભરી ગયા પણ તે પહેલાં યુનિવર્સિટીના શિક્ષણુ દ્વારા હજારા દેશી અંગ્રેજો તેમણે તૈયાર કરી દીધા હતા. આ દેશની ધરતીને કાયમી કબજો કરવા આ એક જ ઉપાય હતા કે દેશની પ્રજાને બધી રીતે બરબાદ કરી નાંખવી. આ માટે તેની સ ંસ્કૃતિના સર્વાંનાશ કરવો.” આ કાય` પરદેશીઓ કરવા જાય તેા પ્રજા વીફરે અને બળવા કરી બેસે એટલે દેશના જ લોકોના હાથે આ સર્વનાશને કાર્યક્રમ અમલી ખનાવવાનું અનિવાય` હતું. એ માટે જ દેશી અંગ્રેજોને તૈયાર કરવામાં આવ્યા. આજે તો એ ડીગ્રીધારી, પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોની સંખ્યા લાખા સુધી પહોંચી ગઈ છે. આ દેશી અંગ્રેજોએ જાણે કે અજાણે એમને મળેલા શૈક્ષણિક પશ્ચિમી વારસાને કારણે સંસ્કૃતિનાં તમામ ક્ષેત્રોના મૂળમાં ધા મારી દીધા છે. મેાક્ષલક્ષી સંસ્કૃતિના વૃક્ષનાં તમામ અંગાને હચમચાવી નાંખ્યાં છે. આ શિક્ષિતાને શિક્ષિત કહેવા કે કેમ ? એ પણ એક સવાલ થઈ પડે તેવી તેમની પશ્ચિમ-પરસ્ત નીતિરીતિએ જોવા મળે છે. શ્રી વેણીશંકર મુરારજી વાસુ આ વિષયમાં સારી એવી જાણકારી ધરાવે છે. તેમના પ્રત્યેક વિચાર જુદા જુદા વિષયા ઉપર વેધ પ્રકાશ ફેંકે છે દાખલા, લીલા અને આંકડા એ દરેક લેખ પાછળનુ` એમનુ બળ છે. બેશક, આ લેખા સથા આધ્યાત્મિક ભૂમિકા પર નથી પરન્તુ આધ્યાત્મિક જીવન જીવવાના જન્મસિદ્ધ હક્ક ધરાવતી આર્યાવત ની મહાપ્રજાના સવનાશનાં ઘાતકી અને ભેદી શસ્ત્રો તે ખુલ્લાં પાડે છે. અને એ રીતે આય` મહાપ્રજાની મહાસા દીધી ધર્મપ્રધાન ચાર પુરુષાની સંસ્કૃતિની પુનઃસ્થાપના કરીને મહાપ્રજાના આધ્યાત્મિક સ્તરને મજબૂત કરવાના પ્રયત્નમાં આ લેખા પોતાના વિશિષ્ટ ફાળા નોંધાવે છે. શ્રી વાસુ જણાવે છે કે સાંસ્કૃતિક તત્ત્વને પશ્ચિમ-પરસ્ત ભેદી અને અણુડ નીતિરીતિના હાલના વેગથી પણુ નષ્ટ કરવાનું ચાલુ રાખવાનું આવશે તે ભારતીય પ્રજાનુ આયુષ્ય કદાચ સા-મસા વર્ષથી ઝાઝું નહિ હોય ! શ્રી વાસુની વિચારધારા ભારતીય પ્રજા સુધી પહોંચે તે તેમના મગજમાં પરદેશી એજન્ટોએ. જે ખાટા ખ્યાલા ભરી દીધા છે–જેના દ્વારા પ્રજાના તમામ જીવન સ્તરે હચમચી ઉઠષા છે-તે બધા જળમૂળથી ઉખડી જાય. અબજો રૂા.ના વ્યય, અવાર હિંસા અને વ્યાપક દુરાચારને પોષતી તમામ પ્રગતિવાદી વિચારસરણીઆને જોરદાર લપડાકા મારતી શ્રી વાસુની વિચારણા અલ્પતમ ધનવ્યય, અહિંસક પ્રણાલિ અને વિશુદ્ધ સદાચારાના નિર્માણુની બહુમુખી યોજનાથી ખીચાખીચ ભરેલી હાય તેમ દેખાય છે. જેના દ્વારા આત્મા મેક્ષભાવ તરફ્ ચેસષણે આગળ વધે તે વિચાર : તે પ્રચાર કે તે આચારને જ મારુ' અનુમેાદન હોય તે સહજ છે. શ્રી શ્રીપાળનગર વાલકેશ્વર, મુંબઈ – ૬ ગુરુપાદપદ્મરણ વિ. સ. ૨૦૩૩ દશેરા. પ'. શ્રીચન્દ્રશેખરવિજય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy