SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૩ તેમાંથી ચૂસી લેવામાં આવે છે, તેને પ્રમાણમાં તેને છાણિયા ખાતરરૂપી પિષણ મળતું નથી, ત્યારે તેમાં ઉગાડેલાં અનાજ, ઘાસચારે, શાકભાજી, ફળફૂલ વગેરે તેમનું સત્વ એટલે કે તેમની પિષક શક્તિ, સ્વાદ અને સુગંધ બધું ગુમાવે છે. આ સત્વહીન ખેરાક જે મનુષ્ય, પશુઓ અને પક્ષીઓ ખાય છે, તેઓ પેઢી દર પેઢી નબળાં પડતાં જાય છે. જે હિંસક પશુઓ આવાં નબળાં પડી ગયેલાં પશુઓ જેવાં કે હરણ, નીલગાય, સાબર, ઘેટાં, બકરાં કે ગાય, ભેંસ મારીને તેમનાં માંસ ઉપર જીવે છે તેઓ પણ નબળાં પડે છે, કારણ કે પેલાં વનસ્પતિકારી પશુઓ સત્વહીન અનાજ કે ઘાસ ખાઈને જીવતાં હોવાથી તેમના માંસમાં પણ પૂરું પિષણ આપવાની શક્તિ હોતી નથી. . સત્વહીન રેઢિયાળ અનાજ અને ઘાસચારે ખાઈ ને મનુષ્ય, પશુઓ શક્તિ, સ્વાથ્ય અને રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ ગુમાવે છે. તેમનું માંસ ભાઈને હિંસક પશુઓ અને પક્ષીઓ પણ શક્તિ, સ્વાસ્થય અને રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ ગુમાવે છે. તેથી ધીમે ધીમે પશુઓ અને સૃષ્ટિને નાશ થતું જાય છે. દોષને ટેપલે શિકારીઓ ઉપર ' પિતાના આ કૃત્યથી નિર્દોષ તેમ જ હિંસક પશુપક્ષીઓનું નિકંદન નીકળી ગયું છે. પરંતુ સરકાર આ નિકંદનના દેષને ટોપલે શિકારીઓ ઉપર ઢળે છે. પરંતુ આ પિકળ અને નિરાધાર બચાવ છે. શિકાર તે પરાપૂર્વથી યુગથી થતું આવ્યું છે. હવે તે હથિયારબંધીને કાયદે હેવાથી શિકારની માત્રા ઘટી છે. શિકાર છૂટથી થતા ત્યારે સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, વરૂ વગેરે લાખોની સંખ્યામાં હતાં, અને હરણ, સાબર વગેરે કરડેની સંખ્યામાં હતાં. પરંતુ જંગલનું અને ચરિયાણનું નિકંદન, જલાશનું નિકંદન, જમીનની ફળદ્રુપતા નાશ પામવી વગેરે કારણેથી આ કરડે પશુઓ ખોરાક, પાણી અને રહેઠાણે વિના નાશ પામ્યાં. તેમના નાશનું કારણ દૂર કરવાને બદલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy