________________
૨૮
છે તે છે કે મારા પારના આ
રોગથી જે રાષ્ટ્રનું માળખું હચમચી જતું હોય તે અમુક ચોકકસ વર્ગને લાભ કરાવી દેવા ખાતર જ તેના વપરાશને પ્રચાર કર એ રાષ્ટ્રને ખુલે દ્રોહ કરવા જેવું છે.
ઉપર જે આંકડાઓ આપ્યા છે તે એમ સાબિત નથી કરતા કે ફર્ટિલાઈઝર નાખવાથી પાક વધારે ઊતરે છે, આ લેખની શરૂઆતમાં જ સમૃદ્ધ ખેતીની છ આવશ્યકતાએ જણાવી છે. તેમાં પણ ફર્ટિ લાઈઝરને સ્થાન નથી આપ્યું. ત્યાર પછી જે જુદા જુદા દેશના ફર્ટિ. લાઈઝરના ઉપયોગનું પ્રમાણ અને પાકના આંકડા આપ્યાં છે તે પણ સાબિત કરે છે કે માત્ર ફર્ટિલાઈઝરના ઉપયોગથી પાક વધારે ઊતરે, છે તે માન્યતા ભૂલ ભરેલી છે.
" મેશરજીભાઈને એવા કરાર કેમ કરવા પડ્યા? ઈ. સ. ૧૯૬૮માં શ્રી મેરારજી દેસાઈએ તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ જ્યારે નાના હતા અને ટ્રેકટર કે ફર્ટિલાઈઝરનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે તેઓ એક એકરે ૯૦૦૦ , પાઉન્ડ (આશરે ૪૪૧૦ કિલે) ડાંગરને પાક છાણિયા ખાતરની મદદ વડે લેતા હતા, જે ફર્ટિલાઈઝર વાપરતા કોઈ પણ દેશના પાકથી ઘણે વધારે હતું. માત્ર ૫૦ વરસમાં દેશનું અન્ન ઉત્પાદન એકરદીઠ ૮૭૦ કિલે જેટલું નીચું કેમ પડી ગયું? એક જ કારણ કે ગૌહત્યાની નીતિને કારણે ખેડ માટે બળદની અને ખાતર માટે છાણની તીવ્ર અછત. આ અછત દૂર કરવા સંપૂર્ણ પશુહત્યાબંધી કરવાને બદલે કઈ અકળ કારણોએ શ્રી મોરારજીભાઈએ ગુજરાતથી દિલ્હી પહોંચીને દર : વરસે બેથી અઢી અબજ રૂપિયાનું ફર્ટિલાઈઝર અમેરિકાથી આયાત કરવાના કરાર કરી નાખ્યા. આ ફરારે જેટલા આશ્ચર્ય જન્માવનારા છે તેટલા જ તેમાં કોઈ દેશી વિદેશી હિત મોટો ભાગ ભજવી ગયાં હેય એવી શંકા જન્માવનારા પણ છે.
તેલન ખેરી ફાર્મના પ્રયોગે શું બતાવે છે? માત્ર છાણિયા ખાતરને જ ઉપયોગ કરીને ઉત્તરોત્તર દર વરસે વધુ પાક લેવાને સફળ અખતરે સરકારના તેલન ખેરી ફાર્મ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org