SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ હરિયાણા જેવી હાઢાળ જાતિના હોય તે એક શેર દૂધમાં તેમનું પેટ ન ભરાય. ડેરીઓમાં તેમને થાડુ ઘણું પણ ધાવવા દેવામાં આવે છે, કારણ કે વાછડો ધાવે ત્યારે જ ગાય દૂધ પ્રાંસવે છે. સામાન્ય રીતે તે ગાય પ્રાંસવે કે તરત જ વાછડાને ખેંચી લેવામાં આવે છે, એટલે આખા દિવસમાં ભાગ્યે જ તેને પાશેરથી અડધા શેર દૂધ પીવા મળે છે. વાછડા ખરીદી લેવા તે ખેડૂતે તૈયાર જ હાય છે. પણ વાછડીનું સાઈ સિવાય કાઈ ખરીદનાર મળતું નથી. આથી ભારતમાં, અંગ્રેજી -હકૂમતમાં ડેરી ઉદ્યાગની શરૂઆત થઈ, ત્યારથી નાની વાછડીએની બેફામ તલ શરૂ થઈ. કસાઈઓને વાછડી ખરીદવામાં ખૂબ રસ હોય છે, કારણ કે તેનું ચામડું કામળ હાવાથી તેના વધુ દામ ઊપજે છે. ગાય-બળદની કિમત કેમ વધતી જાય છે? આનું પરિણામ એ આવ્યું કે દેશમાં ગાયની સંખ્યા કરતાં વાછડાંઓની સંખ્યા ત્રણ ગણી હાવી જોઈએ, તેને બદલે ગાયેની સંખ્યા કરતાં વાછડાંઓની સખ્યા એછી છે. એટલે માંદગી કે વૃદ્ધાવસ્થાને કારણે કે માતથી જેટલાં બળદો કે ગાયા એછાં થાય છે, તેમની જગા પૂરી શકાતી નથી; જેથી તેમની ક્ર'મત કૂદકે ને ભૂસકે વધતી જાય છે. તા જ સારાં ગાય-બળદ મળી શકે ગાયના વાછડો હોય કે વાછડી, તે ગમે તેવા સારાં એલાદી સાંઢથી. જન્મ્યા હાય, પણ ગાય આઠથી દશ મહિના દૂધ આપે, તે સમગ્ર સમય દરમિયાન જે તેમને પેટ પૂરતાં ધવડાવ્યાં હાય, તે જ તે વાડી સારી ગાય બનીને પુષ્કળ દૂધ આપી શકે; અથવા વાછડા શ્રેષ્ઠ ધણખૂટ કે સશક્ત ખડતલ ખળદ ખની શકે. જે પૂરતુ ધવડાવવામાં ન આવે તો ગાય, ખળા કે વણખૂટ એ તમામ ધીમે ધીમે ઊતરતી કક્ષાના બનતા જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy