________________
२६५
પિતપોતાને ત્યાં વધુ ને વધુ વસ્તી વધારે બતાવે એ વધુ બનવાજોગ છે. અને એના પુરાવા માટે તે તેમના શહેરના ફૂટપાથ ઉપર હિજરત કરી આવેલા માનવભંગારના ગંજ દેખાડી શકે છે.
ત્રીજું, જે રીતે દેશમાં પશુગણતરી થાય છે, તે જ પ્રમાણે વસ્તીગણતરી થતી હોય તે પણ બનવા જોગ છે. પશુગણતરી થાય ત્યારે દરેક જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ એ રજિસ્ટર ઉપર સહી કરે, એવો રિવાજ બ્રિટિશ શાસનમાં હતું. આજે છે કે નહિ તે હું જાણ નથી
માનવવસ્તીની ગણતરી આવી રીતે જ થતી હશે? ૧૯૪૭માં ભારત સરકારે નીમેલી “કાઉ છેટેકશન કમિટી સમક્ષ પિશ કરાએલાં આવેદનપત્રમાં શ્રી જયદયાલજી દાલમીયાંના કે કોઈ બીજા આવેદનપત્રમાં નીચે મુજબને ઉલેખ છે. એ અનુભવ એક અંગાલી ગૃહસ્થને છે. - તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા પંજાબમાં મેજિસ્ટ્રેટ હતા. તે વખતે પશુગણતરી થઈ અને આ મેજિસ્ટ્રેટ સાહેબને સરકારને હકમ મળ્યું કે તેમણે જિલ્લાની ઑફિસે જઈને વસ્તી–પત્રકમાં સહી કરી આપવી. તે વખતે મુસાફરી ઘોડાગાડીમાં થતી અને મેજિ. સ્ટ્રેટ સાથે તેમના વિદ્યાર્થી પુત્ર પણ કોલેજમાં વેકેશન હોવાથી સાથે ગયા. 1. રસ્તામાં એક ગામ આવ્યું. ગામને પાદરે ચેરા ઉપર ગામના આગેવાને બેઠા હતા, પાસે પશુઓનું ધણ ઊભું હતું. મેજિસ્ટ્રેટ સાહેબે ગાડી ઊભી રખાવીને ગામના માણસોને ગાય, ભેંસ, બળદ અને વાછરડાઓની સંખ્યા પૂછી લીધી અને પિતાની ડાયરીમાં તેની
ધ કરી. . આમ દરેક ગામે પિતાની ડાયરીમાં પશુસંખ્યાની નેધ કરતા
કરતા સાંજે તે જિલ્લાના કેન્દ્રના સ્થળે પહોંચ્યા. બીજે દિવસે તેમની પાસે સહી માટે રજિસ્ટર મૂકવામાં આવ્યું. મેજિસ્ટ્રેટ સાહેબે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org