________________
૨૪૦
માત્ર દંભ જ ન કરવો હોય અને નિષ્ઠાપૂર્વક દારૂની બઢીને ફેલાતી અટકાવી હોય તે તે કાયદો રાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં અપવાદ-રહિત દરેક સ્તરે લાગુ પાડવે જોઈએ. એ કાયદે ગુનેગારને જામીન પર ન છેડી શકાય એ બનાવ જોઈએ અને એને ભંગ કરનારને રાષ્ટ્રદ્રોહી ગણી સખતમાં સખત સજા ફટકારવાની જોગવાઈ હેવી જોઈએ.
- દારૂને બદલે કાવે જેમને પંજાબ, હરિયાણા જેવા અતિશય ઠંડા પ્રદેશમાં અને જેઓ રાત-દિવસ સમુદ્રમાં વહાણવટાના ધંધામાં પડેલા છે તેમને શરીરની ગરમી ટકાવવા દારૂની જરૂર છે.” એવી જોરદાર દલીલ થઈ શકે પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં નાવિક અને પંજાબી દારૂને બદલે કા પીતા (કા એટલે બુદને શેકી, ખાંડી એને પાણીમાં ખૂબ ઉકાળે અને પછી મીઠું નાખીને ખૂબ ગરમ ગરમ બેથી ત્રણ સ જેટલે પી જાય. શરદી થઈ હોય તે આજે દારૂ ન પીનારી કેમેરામાં પણ દવા તરીકે બ્રાન્ડી પીવાય છે. અગાઉ શરદી માટે પણ ત્રણ-ચાર વખત કા પીતા.
આજે ઉચ્ચ કુટુંબમાં પણ સુવાવડ પછી શરીરે બ્રાન્ડી એળે છે. આપણું આયુર્વેદ સુવાવડ પછી એક મહિના સુધી લાક્ષાદિ તેલ વડે અથવા તલના તેલમાં તજ, અજમા, સુવા, આસગધ અને અમર વેલ નાખી ગરમ કરી તે તેલથી સુવાવડી સ્ત્રીને એકથી દોઢ મહિના સુધી માલિશ કરવા સલાહ આપે છે. દવા તરીકે દારૂના વિકલ્પ તરીકે વધુ ઉત્તમ ઔષધ આયુર્વેદમાં વપરાય છે. પણ, આ તમામ ઔષધોને અન્યાયી, ગેરવાજબી અને માનવતાદ્રોહી કહી શકાય એવી આર્થિક નીતિ ઘડીને ઔષધે એટલાં તે મેંઘાં અને દુકાપ્ય બનાવી દેવાયાં છે કે તે ઔષધ કરતાં દારૂ વધુ સસ્તુ અને વધુ સુલભ બન્ય છે, આવી આર્થિક નીતિ પણ દારૂબંધીની નિષ્ફળતાનું એક કારણ છે.
દારૂબંધીને કાયદા પાછળ, દારૂબંધી કરવાની નિષ્ઠા કરતાં, અમે ગાંધીમાર્ગે ચાલીએ છીએ.” એવાં દંભનાં દર્શન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org