SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૮ -જઈએ છીએ” એવી ભ્રમણામાં પ્રજાને રાખવા માટે દારૂબંધીને કાયદે અનેક ક્ષતિઓ રાખીને ઘડવામાં આવ્યું છે, અને એ કાયદાના પરિણામે લોકોને જે ત્રાસ ભેગવ પડયો છે, તે ત્રાસ બીજા કોઈ સરકારી પગલાને પરિણામે ગવ પડયો નહિ હોય. લેકે દારૂ બંધી માગે છે દારૂબંધીની કાયદાની છેતરામણ જાળ અને તેમાંથી પ્રગટ થતાં દુઃખે નથી માગતા. .' ' સંપૂર્ણ દારૂબંધી શકય છે? એક વાત ચોક્કસ છે કે સમાજમાં સંપૂર્ણ દારૂબંધી શકય નથી. કેઈપણ દૂષણ એવું નથી જે કાયદા અને સમાજની જાગૃતિ વડે પણ સંપૂર્ણ નાબૂદ થઈ શકે. અને દારૂ તેમાં અપવાદ ન હોઈ શકે. દુષણને કાયદા અને સમાજની સત્તાના સંક્લન વડે નાથી શકાય, એને અંકુશમાં રાખી શકાય. એટલે દારૂબંધી સંપૂર્ણ સફળ થઈ શકે નહિ. માટે દારૂબંધીના કાયદાને વિરોધ કરે વાજબી નથી. માત્ર એ કાયદો કરવા પાછળની નિષ્ઠા સાબિત કરવી જોઈએ. એને વહેવારુ, બનાવ જોઈએ. અને તેના અમલ માટે સમાજને, દરેક જ્ઞાતિને સહકાર માગ જોઈએ. સરકાર અને સમાજના સહકારની એક રૂપરેખા તૈયાર થવી જોઈએ. શું દારૂથી રાષ્ટ્રને મબલખ આવક થાય છે? દારૂથી મબલખ આવક થાય છે, એ દલીલ માત્ર નબળી નથી, વાહિયાત છે અને આર્થિક કટી ઉપર પણ નિષ્ફળ નીવડેલી છે. ગમે તે પ્રકારે આવક મેળવવાની નીતિ ભારતીય વિચારધારા, હિંદુ સંસ્કૃતિ અને હિંદુધર્મને મંજૂર નથી. જો રાજ્ય દારૂમાંથી થતી કે વેશ્યાગીરીની આવકને ત્યાય ન ગણે તે લેકે દાણચોરી, જુગારમાંથી થતી આવકને શા માટે ન આવકારે? A પશ્ચિમની સંસ્કૃતિ અને પશ્ચિમની વિચારધારામાં, દુશ્મનને હરાવવા સ્ત્રીઓનાં શીલ સમર્પવામાં આંચકો અનુભવાતું નથી. હિંદ સંસ્કૃતિ અને હિંદુ વિચારધારામાં એ હીન કૃત્ય ગણાયું છે. ચિત્તોડને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy