SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ - ર૩૦ દારૂ પીવાનું કેવી રીતે વ્યાપક બનતું ગયું ? લેકેને ખ્રિસ્તી બનાવવામાં સહુથી મોટું વિન હતું દારૂ અને માંસાહાર પ્રત્યે લેકેને વિરોધ અને એની સામે સતત જાગૃત રહેતી. જ્ઞાતિપ્રથા. પણ ગાની ભયંકર કતલ કરી, તેમનાં ચામડાંની ભયંકર નિકાસ દ્વારા તેમણે હરિજન-કેમને સામુદાયિક રીતે બેકારી અને ગરીબીની ગર્તામાં હડસેલી દીધી અને પછી તેમની વચ્ચે પાદરીઓને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે છેડી દીધા. ખ્રિસ્તી ધર્મ પ્રત્યેના અનુરાગથી કઈ ખ્રિસ્તી બન્યાને દાખલ ભાગ્યે જ મળશે, પણ બેકારી, ગરીબી અને ભૂખમરાથી ભીંસાવા લાગેલી હરિજન-કેમમાંથી પૈસાની, આર્થિક સહાયની, નેકરીની લાલચ લેકે ખ્રિસ્તી થવા લાગ્યા. જે ખ્રિસ્તી થયા તેમાંથી જે ઊંચી કેળવણી લઈ શકશે તેમને રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર ગઠવી દેવાય અને જેઓ ખ્રિસ્તી બનતા ગયા તેમને દારૂ પીવાની છૂટ મળતી ગઈ અને દારૂનું બજાર વિસ્તૃત થતું ગયું. મુંબઈ જેવા શહેરમાં ખ્રિસ્તીઓની અને પારસીઓની વસ્તી ગણનાપાત્ર સંખ્યામાં હતી. તેમને દારૂ પીવે એ સહજ હતું અને તેમના માટે અંકુશરહિત વિસ્તારમાંથી દારૂ આવવા લાગ્યો. પંચવર્ષીય યોજનાઓના જેક્ટોમાં અને નવાં ઊભાં થતાં કારખાનાંઓમાં પરદેશ ભાણ આવેલાઓને સ્થાન મળવા લાગ્યું તેમ તેમ પરદેશ તરફ નવી પેઢીને ધસારે પશ્ચિમની કેળવણી લેવા માટે વધતે ગયે અને મોટા ભાગના દારૂની આદત કેળવીને પાછા આવતા. ગયા અને તેમને ચેપ તેમની આસપાસનાઓમાં ફેલાયે. - આમ પ્રધાને, સચી, મોટા અમલદારે અને પરદેશથી ઉચ્ચ કેળવણ લઈને આવનારા કુટુંબમાં દારૂ પીવાની એક ફેશન થઈ પડી. પ્રગતિમય જીવન જીવવાની એ એક સહજ રીત બનતી ગઈ. • પરદેશી દારૂની માંગથી દારૂની દાણચોરી વધતી ગઈ. મેટાં કારખાનાંઓને માલ પૂરો પાડે છે, તેને માલ લે હોય કે કારખાનાની એજન્સી લેવી હોય, દરેક બાબતમાં પરદેશી દારૂની બાટલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy