________________
૨૨૧
અને, જે લેકે તેમની ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં તેમને સાથ આપતe તેમને મળતા રાજકીય, આર્થિક અને સામાજિક પુરસ્કારથી એવા તે અંજાઈ ગયા કે અંગ્રેજોની રહેણીકરણી, ખાણીપીણી વગેરેનું અનુકરણ કરીને પિતાને સુધારાવાદી ગણાવવાની હરીફાઈ ચાલી. તેઓ પિતાની પુત્રીઓનાં નામ પણ અંગ્રેજી રાખવામાં, ઘરમાં પણ અંગ્રેજી ભાષા બેલવામાં અને દરેક પ્રકારે અંગ્રેજોનું અનુકરણ કરવામાં મોટાઈ માનવા લાગ્યા. જેથી દારૂ અને માંસાહારની બદીએ ફેલાવા લાગી.
મદિરાપાન ફેશન બની ગઈ માંસાહાર કરી અને દારૂ પીવે એ ભદ્ર લોકોમાં સુધારક હેવાની, પ્રગતિવાતી હવાની, ક્રાન્તિકાર હોવાની માન્યતા ઘર કરવા લાગી. એ રીતના જીવનને વિરોધ કરનારા સંકુચિત માનસના, જડસુ, પ્રત્યાઘાતી, સુધારા વિરોધી ગણાઈ, સરસ્કારથી પ્રતિષ્ઠા પામેલા લોકો દ્વારા અવહેલના પામવા લાગ્યા. દારૂ અને માંસાહાર ઉચ્ચ અંગ્રેજી કેળવણી લીધેલા વર્ગમાં અને સરકારમાં ઉચ્ચ આસને બેઠેલાઓ માટે ફેશન બની ગઈ. શ્રીમુનશીજી એક સ્થળે લખે છે કે તેઓએ જ્યારે પરીક્ષા પાસ કરી અને હાઈકોર્ટમાં પ્રેકિટસ શરૂ કરી ત્યારે ઉચ્ચ વકીલમોમાં પણ મદિરાપાન એક ફેશન થઈ પડી હતી. '
છતાં દારૂ પ્રવેશી શક્યો નહીં દારૂબંધીને કાયદો ન હતે. દારૂ પીવાનું સીધી કે આડક્તરી રીતે સરકારનું પ્રેત્સાહન હતું, છતાં દારૂ પ્રજાના વિશાળ આમ સમુદાયમાં પ્રવેશી શક્યો નહિ, કારણ કે ધાર્મિક ભાવનાએ અને સામાજિક - કાયદાએ તેને પ્રબળ પ્રતિકાર કર્યો. ભદ્ર ગણાતી ઉચ્ચ જ્ઞાતિઓમાં દારૂ પીવે એ ધાર્મિક અને સામાજિક ગુને ગણાતું હતું અને એ પીનારાએ જ્ઞાતિથી બહિષ્કૃત થવું પડતું અને બહિષ્કાર પાછો ખેંચાવા. માટે ભારે દંડ ભર પડતે, પ્રાયશ્ચિત કરવું પડતું અને શાસ્ત્રોક્ત રીતે દેહશુદ્ધિ કરવી પડતી. ગમે તેવા ઉચ્ચ આસને બેઠેલી વ્યક્તિ પણ જે દારૂ પીએ તે લેકેના અંતરમાં તેના માટે માન રહેતું નહિ.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org