SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ -૩,૩૪૭, રતલ મૂતર આપે, એ સર્વસ્વીકૃત હકીકત છે. જે જુવારનું વાવેતર કર્યું હોય તે એક એકર સૂકી જમીનમાં ર ટન એટલે કે પાંચ ગાડાં અને સિંચાઈની જમીનમાં પાંચ ટન એટલે કે દશ ગાડાં છણિયું ખાતર નાખવું જોઈએ. (હેન્ડબુક એફ એગ્રિકલ્ચર પાના નં. ૧૭૮) આ હિસાબે ગાયના છાણનું મૂલ્યાંકન નીચે મુજબ થવું જોઈએ? એક એકર જમીનમાં ફર્ટિલાઈઝર નાખ્યું હોય તે તેને ખર્ચ રૂપિયા ૩૦૦થી વધારે આવે એટલે ફર્ટિલાઈઝરની સરખામણીમાં એક ગાય કે બળદના છાણ-મૂતરનું મૂલ્ય રૂપિયા ૩૦૦થી વધારે થયું. - બળતણ તરીકે એક ગાયના છાણનાં છાણાં પાંચ માણસના એક કુટુંબને એક વર્ષ ચાલે. છાણા સિવાયના કોઈ પણ જાતના બળતણને વાર્ષિક ખર્ચ અત્યારે રૂપિયા ૪૦૦થી વધારે આવે છે. માટે છાણનું બળતણ તરીકેનું મૂલ્ય રૂપિયા ૪૦૦થી વધારે થવું જોઈએ, અને મૂતર બાળવાના કામમાં આવતું નથી, એટલે ખાતર તરીકે એનું મૂલ્ય રૂપિયા ૮૮.૭૫ વધારાના ગણાય - એક વૃદ્ધ ગાય કે બળદને ખવડાવવાના વાર્ષિક ખર્ચને અંદાજ કાઢી મુશ્કેલ છે. જુદાં જુદાં રાજયમાં જુદા જુદા સંજોગે નીચે એ ખર્ચ વધુ એ છે હોય છે. છતાં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ સને qexcui diell The Cattle Development and Preservation Committee એ સરેરાશ વાર્ષિક ખર્ચ જે તેમના માટે ચરિયાણ વિસ્તારવામાં આવે તે રૂપિયા ૧૯ ઠરાવ્યું હતું. આજે બધા ભાવે છ ગણા વધી ગયા છે. એટલે એ ખર્ચ રૂપિયા ૧૯૪૬ = ૧૧૪ રૂપિયા થાય. જે તેનાં છાણ મૂતર દ્વારા થતી આવકથી ઘણે એછે છે. આપણે ૩૦ કરોડ ૫૫ લાખ એકર જમીન ઉપર ૧૦ કરોડ ૪ લાખ ટન અનાજ પેદા કરીએ છીએ. (ઇન્ડિયા ૧૯૭૪ પાનાં નં. ૧૭૩-૧૭૪ ટેબલ ૧૪૦–૧૪૫) એટલે કે એકર દીઠ ૩૨૯ કિલે પાક ઊતરે છે. ૧૯૭૫માં ૧૧ કરોડ ટન પાક ઊતર્યો છે, છતાં આપણી જમીનની પાક આપવાની ક્ષમતા કરતાં ઘણે એ છે પાક ઊતરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy