________________
પસંદ કરવા જેવું શું છે?
આખરે વડાપ્રધાને નાણાપ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું નહીં પણ તે દરમિયાન દેશમાં ચર્ચા ચાલી કે નાણાપ્રધાને આપેલું રાજીનામું સ્વીકારવું જોઈએ કે નહીં, એ જાય તો શું થશે, નવા આવશે તો શું થશે, નવા કોણ આવશે, એ રાજીનામું પાછું ખેંચે એ માટે શું કરવું વગેરે. સંસદમાં આ અંગે લાંબી ચર્ચાઓ થાય અને છાપામાં એનાં મથાળાં આવે એ દેખીતું છે, પરંતુ વધારે ખળભળાટ થયો નહીં. નવી દિલ્હીમાં આ સમાચારોની ગરમી લાગે, કારણ કે ત્યાંના ઘણા લોકોનું જીવન રાજક્તઓની આસપાસ ગૂંથાયેલું છે. મુંબઈમાં એમની સમીક્ષા થાય, કારણ કે ત્યાં મોટા ઉદ્યોગો છે. પણ દેશનાં લાખો ગામડાંમાં આવા બનાવોની અસર નથી. દેશના સાઠ કરોડ લોકોના જીવનમાં આ બનાવોનું મહત્ત્વ નથી. કારણ કે અત્યારના નાણાપ્રધાનને આ કરોડો લોકોના પ્રશ્નો સાથે લેવાદેવા નથી. એમના નિર્ણયોની અસરો મોટા ઉદ્યોગો સુધી થાય છે. એટલે નાણાપ્રધાન ક્યારેક જાહેરમાં વાર્તાલાપ આપે છે તો તે ચેમ્બર ઓફ કોમર્સમાં કે કોઈ મોટા ઉદ્યોગના સંમેલનમાં હોય છે અથવા તો વોશિંગ્ટનના ઑફિસરો સમક્ષ હોય છે. એમની પાસે દેશના કરોડો ગ્રામજનોને કહેવા માટે શું છે? દેશનાં છ લાખ ગામડાંમાં કહેવા માટે શું છે? શહેરોમાં પણ મોંઘવારી અને કથળતી જતી જાહેરસેવાઓને નાણાપ્રધાન રોકી નથી શક્તા. એટલે શહેરોમાં પણ એમની નીતિઓની અસર મોટા ઉદ્યોગપતિઓ પૂરતી રહે છે જેઓ બીજી બાજુથી સરકારને – અને વિરોધ પક્ષોને પણ – નાણાં પૂરાં પાડે છે. એટલે સમજી શકાય એમ છે કે નાણાપ્રધાન મોટા ઉદ્યોગોને પણ કેટલું કહી શકે!
જો કે, આમ માણસ ઉપર નાણાપ્રધાનની નીતિઓની એક અસર તો છે! કે એની પાસેના નાણાનું મૂલ્ય ઝડપભેર ઘટી રહ્યું છે. કારણ કે નાણાપ્રધાનના આંકડા હવે કરોડ, અબજ અને એથી પણ વધારે મીંડાંવાળ આવે છે એટલે અકિંચન તો બાજુએ લાખ-બેલાખ સુધીની પણ મૂડી ધરાવતા દેશના ૯૫ ટકા લોકોની હસ્તી જ નષ્ટપ્રાય થઈ જાય છે. આટલા ગંજાવર કંડાની રકમોમાં લેણદેણ કરતી સરકાર સામે આપણે કોઈ વજન જ ન રહે. આમ આપણને લાચાર બનાવી દેવામાં આવે છે. પોતાની પાસેના જૂજ શેરો-જો હોય તો-નો ભાવ ઊંચો જશે કે નીચો એ સિવાય નાણાકીય નીતિ વિશે લોકોમાં ચર્ચા નથી થતી!
આ સમસ્યાનું મૂળ એમાં છે કે અત્યારના નાણાપ્રધાનનું અર્થશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org