________________
૨૪ | ધન્ય આ ધરતી
કાપડ ઉદ્યોગના અનેક મોટા ખર્ચ જેવા કે વાહનવ્યવહાર, યંત્રો, મેનેજમેન્ટ, નફા, દુકાનો, જાહેરખબરો, બૅન્કો, સરકારો, સંરક્ષણ વગેરે નીકળી જાય એટલે આ કાપડ ' અત્યંત સસ્તું પડે. અત્યારે બજારમાં બસો રૂપિયે મળતો પોષાક વીસ રૂપિયામાં પડે એ આપણે જોઈ ગયા છીએ. એ જ રીતે ગામના બીજા લોકો આ કાપડના સાટામાં આપવા બીજી વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરે ત્યારે એ વસ્તુઓ અનાજ, દૂધ, ઈંટ, નળિયાં, રંગ, રમન્ડાં વગેરે પણ અત્યંત સસ્તા પડે. એટલે ગરીબ લોકો અત્યારે કશું નથી ખરીદી શક્તા એને બદલે અનેકવિધ વસ્તુઓ મેળવી શકે. લોકોને કામધંધા મળે તો કલાકારીગરી પણ વિકસે એટલે આ વસ્તુઓ અને સેવાઓ ઊંચી ગુણવત્તાની બની શકે. રેંટિયા અને સાળ દ્વારા ગરીબ લોકો. ગરીબાઈમાંથી છૂટી શકે અને બીજાની સમકક્ષ આવી શકે.
ગરીબ લોકોને ટેરેલીન, ટીવી અને ટેલિફોન મળવાં જોઈએ એમ કહેવું એનો અર્થ એમને બેકારીમાં અને તેમાંથી પરિણમતી ગરીબાઈ અને ગુલામીમાં ચાલુ રાખવા એ છે, કે જેને કારણે એમને ટેલિફોન તો બાજુએ પરંતુ સાંજનો રોટલોય પરાણે મળે છે. એક મિત્રે સણસણતો દાખલો આપ્યો હતો : કેરાલાના ખેતમજૂરને ટેલિફોન શા માટે આપવો જોઈએ? – મુંબઈમાં મજૂરી શોધવા ફૂટપાથ પર રહેતા દીકરાને સંદેશો પહોંચાડવા કે તારો બાપ મરવા પડ્યો છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org