________________
તપસ્વી વંદના
આહારપાણી ત્યાગવાં, અનશન પહેલું તપ કહ્યું, ભગવાન આદિનાથજીએ, એક વરસ લગી કર્યું, એક દિવસથી ખમાસની, આ કાળમાં છે. ઉપાસના. તે તપ તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧ આ દેહ ભાથું માંગશે તો, અન્ન થોડું આપશું, પૂરું ન ભરશુ પેટ આ, પણ પાપ પૂરાં કાપશું, ના ભૂખ ભાંગે ભોગથી, ઉણોદરીના ભાવથી. તે ત૫. ૨ હું રસ ધરી આહારમાં, દ્રવ્યો ઘણાં ના વાપરું, દ્રવ્યો પરિમિત વાપરું, આ વ્રત નથી કંઈ આકરું, આ વૃત્તિસંક્ષેપ તપ કહ્યો અજવાળતો આરાધના. તે તપ. ૩ ના સ્વાદ માટે અન્ન છે, તન સાચવે તે અન્ન છે, વિગઈતણો પરિત્યાગ કરવામાં જ, હૃદય પ્રસન્ન છે, રસત્યાગતપ કરનારને, ના રાગની સંભાવના. તે ત૫. ૪ જે કષ્ટ પડશે દેહને તે, હું સહું હસતાં મુખે, પાપો બધાં મારાં તૂટે, જો સાચવું સમતા દુઃખે, આ કાયક્લેશતણી તપસ્યા, કર્મની પરિવર્જના. તે તપ. પ પર્વત સમાન અકંપ ભાવે, સ્થિરતા તન ધારવી, કાઉસ્સગ્ગ કરીને દેહની, સઘળી ક્રિયા પરિહારવી, શ્રી સિદ્ધ ભગવંતો તણા, સુખની જ કરવી કલ્પના તે તપ. ૬ દ્વારીકા નગરીનો દાહ અટક્યો, આયંબિલના પ્રભાવથી અર્જુનમાળી દૃઢપ્રહારી ભવપાર તપ સદ્ભાવથી શ્રીપાલ – મયણાને ફળી આયંબિલ તપ આરાધના... તે તપ. ૭
Jain Educati International
७२
For Personal Private Use Only
www.jainelibrary.org