________________
૮) આચાર્ય વંદના ય
પરમેષ્ઠિના ત્રીજા પદે જે સ્થાન પાવન પામતાં, છત્રીસ ગુણોને ધારતા, ષડ્ શત્રુગણ નિવારતા, વહેતા વ્રતોના ભારને, કરતા સ્વ-પરની સારણા, આચાર્યના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૯ ધૂરી જિનશાસન તણા, દેતા મધુરી દેશના, પ્રતિબોધતા ભવિ લોકને, જે ભાવતા શુભ ભાવના; શાસન પ્રભાવક જે કહ્યાં, નેતા ચતુર્વિધ સંઘના. આચાર્યના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૦ ગીતાર્થતા જેને વરી, વ્યવહાર કુશળતા ભરી, ભાખ્યા જે તીર્થંકર સમાં, શાસ્ત્રોતણાં જ્ઞાનેશ્વરી; જયકાર શાસનનો કરે, પાલક સદા જિન આણના. આચાર્યના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૧ જ્ઞાનાદિ પંચાચાર જે, પાળે પળાવે હેતથી, સાધુ તથા સમુદાયનું, કરે યોગ-ક્ષેમ વિવેકથી; તોલીને લાભાલાભ, જે રક્ષક બને શ્રી સંઘના. આચાર્યના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૨ ॥ મંત્ર : ૐ હ્રીં પંચાચારપવિત્રેભ્યઃ શ્રી સૂરિભ્યો નમઃ સ્વાહા |
Jain Education International
For Personvate Use Only
www.jainefit y.org