________________
Kimbers
નવપદ વંદનાવલી * અરિહંત વંદના (
કરી અતુલ આતમ બળ વડે, આંતર રિપુ નિકંદના, દૂષણ અઢારે દૂર કર્યા, આતમ સ્વરૂપની નંદના, ગુણગણ અનંતા જેહના, કેમે કરીય ગણાય ના, અરિહંતના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧. કેવળ હી દ્રષ્ટા બને, સવિ દ્રવ્ય ક્ષેત્ર કાલના, જાણે બધા ભાવો છતાં, મન તન થકી લેપાય ના, વિહરે જે વાયુની પરે, વસુધાતલે પ્રતિબંધ ના. અરિહંતના...૨. જે દેવનિર્મિત સમવસરણે, બેસી દેતાં દેશના, વાણી અમીય સમાણી સુણતા, તૃપ્તિ કદીએ થાય ના, ચોત્રીશ અતિશય શોભતા, પાંત્રીસ ગુણ વાણી તણા. અરિહંતના.૩. માર્ગોપદેશક ગુણ ભલો, વ્યસની સદૈવ પરાર્થના, સુરઅસુર કિન્નર ભક્તિભાવે, હર્ષથી કરે અર્ચના, જે નામનું સંસ્મરણ દુરિત, દૂર કરે ભવભવ તણા.અરિહંતના.૪.
॥ મંત્ર : ૐ હ્રીં સપ્રાતિહાર્યાતિશયશાલિભ્યઃ શ્રીઅર્હ ્ભ્યો નમઃ સ્વાહા ।।
Forps£3}ivate Use Only
Jain Education International
www.jainsurery.org