________________
ઉપદેશ આપ્યો અઈમુત્તાને, આઠ વર્ષની વય મહીં; સંયમ સાધી નવમા વર્ષે ઈરિયાવહિથી કેવળી; દીક્ષાદાન જેને કરે, તે પામે કેવલવરસિરિ, અનંત.... (૫) છઠ્ઠને પારણે છઠ્ઠ કરે, સ્વદેહ પ્રતિ નિરપેક્ષતા, લહે જ્ઞાન ચૌદ પુરવતણું, તોયે જરી અભિમાન ના; ઉત્કૃષ્ટ તપ અને જ્ઞાનનો, પામે સમન્વય આત્મમાં, અનંત... (૬) અગ્નિભૂતિ વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા સ્વામીને, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અલભ્રાતા, મેતાર્યને ; પ્રભાસ આદિ અગ્યાર ગણધર, માંહી અગ્રેસર બને, અનંત.... (૭) મુક્તિપદની ઝંખનાએ, કરે અષ્ટાપદ સ્પર્શના, તાપસ પંદરસોને કરાવે, ખીરથી એ પારણા; અક્ષીણ-મહાનસ-લબ્ધિ હતી, ગુરુ ગૌતમ અંગુષ્ઠમાં, અનંત.... (2) દાનદાતા કોઈ પણ નિજ પાસ વસ્તુને દીયે, ના હોય પોતાની કને, તે અન્યને તો કિમ દીયે; હતુ ન કેવળ પાસ તોયે આપી મહા અચરીજ કરે. અનંત...(૯) જેનું નામ લઈને નિસરે, શ્રમણ-શ્રમણી ગોચરી, એ કવીશ દિવસના જાપને, જપે જૈનાચાયો મ નથી; પ્રભાત સમયે સ્મરણ કરતા, ગોયમ નામે નવનિધિ, અનંત... (૧૦) પ્રભુવીર પર સ્નેહ જ નહીં, બહુમાનભાવને ધારતાં, શિષ્યો પચાસ હજાર તોયે, બાળ બનીને રહેતા; અદ્ભુત સમર્પણ ભાવે પામે, કેવળજ્ઞાન તેજસ્વિતા, અનંત... (૧૧)
Jarducation International
For Personas
prate Use Only
www.jainelibrang