________________
Jain E
કહું છું શંખેશ્વર પાર્શ્વજીની વારતા
કહું છું શંખેશ્વર પાર્શ્વજીની વારતા, એતો શરણે આવેલાને તારતા, એની મૂતિ છે મોહનગારી, ભવોભવના તે દુઃખ હરનારી, જેના દર્શને દેવતાઓ આવતા, એ તો શરણે.... ૧ વ્હાલો પાતાળમાંથી પધારતા, દુઃખિયા કુળના દુઃખનિવારતાં,
રૂડા શંખેશ્વર ગામે બિરાજતાં, એ તો શરણે...૨ દૂર દેશોથી યાત્રાળુ આવતાં, એની ભક્તિની ધૂન મચાવતાં,
જેના દરવાજે નોબત વાગતાં, એ તો શરણે...૩ એના મુખડા ઉપર જાઉં વારી, નાગ બળતાને લીધો ઉગારી, મારા શમણાંમાં પાર્શ્વપ્રભુ આવતાં, એ તો શરણે...૪ આ પારસ મારા પોતાના
આ પારસ મારા પોતાના, મારા પોતાના નહીં બીજાના,
પણ પારસ મારા પોતાના.... તમે વામાદેવીના નંદ ભલે, તમે અશ્વસેન કુલચંદ ભલે . પણ...૧ તમે વઢિયાર દેશ નરેશ ભલે, તને પૂજે આખો દેશ ભલે. પણ...૨ ભલે રાજા મહારાજા ચરણે નમે, તારા ચોંસઠ ઈન્દ્રો ચરણો ચૂમે પણ...૩ તમે વારાણસીના રાજા ભલે, તમે ત્રણ ભુવન મહારાજા ભલે. પણ...૪ તારા એકસોને આઠ નામ ભલે, તારા ગામે ગામ ધામ ભલે . પણ...પ તમે ધરણેન્દ્ર દેવનાં વ્હાલા ભલે, તમે પદ્મામાતાના પ્યારા ભલે. પણ...૬ તમે મણિભદ્ર વીરના વ્હાલા ભલે, તમે સકલસંઘના પ્યારા ભલે. પણ...૭
(૨૬૯
For Personal & Private Use Only
org