________________
અતિશયવંત પ્રભુ આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જે ના, અંગને સ્પર્શે નહિ; સ્વધેનુ દુગ્ધ સમા રુધિરને, માંસ જેના તનમહીં. એવા..૮ મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉછુ વાસમાં, ને છટાચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં ; પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતાં. એવા..૯ દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુ ભાવતી; વળી બાલક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી. એવા..૧૦ -
અદભુત ગુણો જે બાલ્ય વયમાં પ્રૌઢશાને, મુગ્ધ કરતા લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને; ત્રણલોકમાં વિસ્મય સમા, ગુણરૂપ યૌવનયુક્ત જે. એવા..૧૧
સંસારથી નિર્લેપ મૈથુન પરીષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, જે ભોગકર્મ નિવારવા, વિવાહ કે કણ ધારતાં; બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં એવા.. ૧૨
રાજ્યાવસ્થા. મૂચ્છ નથી પામ્યા મનુ જના, પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્યનીતિથી, પ્રજા સુખચે નમાં; વળી શુદ્ધ અધ્યવસાય થી, જે લીન છે નિજભાવમાં, એવા..૧૩
Jain Education International
For pel canal pivate Use Only
www.jainel
y.org