________________
રોગો ભલે મુજ જાય ના, મુજ રાગને પ્રભુ ટાળજે, દુઃખો ભલે મુજ જાય ના, મુજ દોષને પ્રભુ ટાળજે, કર્મો ભલે મુજ જાય ના, અંતર કષાયને ટાળજે, દુર્ગતિ ભલે મુજ જાય ના, દુર્મતિ પ્રભુ મુજ ટાળજે... ૬ મનમાં સ્મૃતિ મૂર્તિ નયનમાં વચનમાં સ્તવના રહે, મુજ રક્તના હરબુંદમાં જિનરાજ તુજ આણા વહે, પહોંચાડશે મોક્ષે મને જિનધર્મ એવી ખાતરી, પ્રભુ આટલું જનમો જનમ દેજે મને કરૂણા કરી...૭ મેં નરક નિગોદે સહ્યા દુઃખો ઘણા સમજણ વિના, સમજણ મળી મુજને હવે સિદ્ધિ નથી શુદ્ધિ વિના, પણ શુદ્ધિકર બાવીશ પરિષહ લાગે અતિશય આકરા, સુખ થી ડરું દુઃખને વરું દે સન્મતિ મુજને જરા...૮ ક્યારે પ્રભુ! ષટકાયના જીવનાં વધ થકી હું વિરમું? ક્યારે પ્રભુ! રત્નત્રયી આરાધવા ઉજવળ બન્યું? ક્યારે પ્રભુ! મદમાન મુકી સમતા રસમાં લીન બનું? ક્યારે પ્રભુ! તુજ ભક્તિ પામી મુક્તિગામી હું બનું ?...૯ ગિરુઆ ગુણો તુજ કેટલા ગુણસાગરો ઓછા પડે, લાવણ્ય તારૂં કેટલું, રૂપ સાગરો ઓછા પડે, સામર્થ્ય એવું અજોડ છે, સહુ શક્તિઓ ઝાંખી પડે, તારાં ગુણાનુવાદ માં, માં શારદા પાછી પડે...૧૦ સવિ જીવ કરું શાસનરસી, આ ભાવના હૈયે વહું કરુણાઝરણમાં રાતદિન હું, જીવનભર વહેતો રહું, શણગાર સંયમનો સજુ, ઝંખુ સદા શિવસુંદરી, પ્રભુ! આટલું જનમોજનમ દેજે મને કરૂણા કરી... ૧૧
Jain Education International
FoPersonal Private Use Only
www.jainelibra