________________
odbury mbe
સમેતશિખરજી તીર્થ વંદના
જ્યાં અજિતનાથ જિનેન્દ્ર આદિ વીશ તીર્થંકર વિભુ વળી અતીત ચોવીશી તણા ચોવીશ તીર્થંકર પ્રભુ નિર્વાણ પામ્યા ને વળી જ્યાં પામશે તે ભૂમીને સમેતશિખર તીર્થ ભાવે કરું હું વંદના...૧
જે તીર્થનો ઉદ્ધાર કરવા જગત શ્રેષ્ઠિ આવતા શ્રી દેવ વિજયજી તાણી જે પ્રેરણાને ઝીલતા અક્રમ કરી પદ્માવતીની પામતા સાંનિધ્યતા...સમેત ૨ જ્યાં જયાં શ્રી તીર્થંકર પ્રભુજીનું થયું મુક્તિગમન તે તે સ્થળે પદ્માવતી માતા કરે સ્વસ્તિક સ્વયં નિર્વાણના શુભ સ્થળ તણા જ્યાં આપતા સંકેતને ...સમેત ૩ તંત્રીશ મુનિવર સાથ જયાં પ્રભુ પાર્શ્વ મુક્તિ પામતા તે તીર્થ ૫૨ પ્રહસેન રૃપ ઉદ્ધાર વીસમો કરાવતા વળી સ્થાપતા તે પુણ્ય સ્થળ પર પાર્શ્વ પ્રભુના ચરણને...સમેત ૪ આ તીર્થની યાત્રા કરે તે ભાગ્યશાળી ધન્ય છે આ તીર્થની યાત્રા કરાવે ધન્ય તે કૃતપુણ્ય છે વળી પુણ્ય બાંધે તે સદા જેઓ કરે અનુમોદના...સમેત પ શાસન અને શાસ્ત્રો તણા ઈતિહાસ એમ જણાવતા શ્વેતાંબરો આ તીર્થની રક્ષા મહીં ઉઘતા હતા શ્વેતાંબરાચાર્યો ક૨ે ઉદ્ધારની શુભ પ્રેરણા...સમેત ૬ મુજ આત્મકમલે શામળા શ્રીપાર્શ્વનાથ વસો સદા જેથી સદા લબ્ધિ ખીલવવા વિક્રમો કરીએ. મુદા યશો અજિતવીર શીઘ્ર તુમ દર્શન તણી કરે યાચના...સમેત ૭
Jain Ecation International
૧૪૮૩
For Personal Private Use Only
delibrary.org