________________
વિવેકનાં વસ્ત્રો સજીને,સ્થવિરવાસે સંચરી, સઘળાંય હેયને છોડીને, હું કૃત્ય સઘળાં આચરી; વિપરીત વિકલ્પો ટાળીને, ચલચિત્તની સ્થિરતા કરી, જિનકલ્પના મહાભેખને, ક્યારે ધરીશ ? ક્યારે ધરીશ ?...૨૬ પ્રતિબંધ વિણ વાયુ પરે, વિહાર હું કચારે કરીશ ? ચંદા તણી શુભ સૌમ્યતા, મુજ ચિત્તમાં કચારે ધરીશ ? ભાનુ સમા તપતેજથી, તમ તિમિરને કયારે હરીશ ? સંલીનતા જે કૂર્મની, કચારે વરીશ ? ક્યારે વરીશ ?...૨૭ આકાશ કદી લેપાય ના, નિર્લેપ એવો હું બનું, સાગરસમો મર્યાદશીલ, ગંભીર એવો હું બનું; કાપે ભલે, લેપે ભલે, સ્થિતપ્રજ્ઞ ત્યારે હું રહું, જાગ્રત સદા ભારેંડ સમ, ક્યારે બનીશ ? ક્યારે બનીશ ?...૨૮ સંવેગ રંગે શોભતા, હે ભવ્ય જીવો ! સાંભળો, સાધુતણાં ગુણગાનથી, શ્રામણ્યની પ્રીતિ વરો; નિતનિત પ્રભાતે જાગીને, અરમાન સૌ એવાં કરો, ને શ્રેષ્ઠ ભાવકુસુમતણી માળા સહુ કંઠે ધરો...૨૯ જે ભાવના ઈમ ભાવતા, જે કોડ મનમાં લાવતા, મનના તુરંગે દોડીને, ચારિત્રવનમાં મહાલતા; તે મોહતંતુ તોડીને શ્રામણ સુખડી પામતાં, થઈને મુનિ મુક્તિ લહી તે સિદ્ધ બુદ્ધ બની જતાં....૩૦
Jain Education International
૧૦૨
For Personal Private Use Only
www.jainellbrary.org