________________
વળી પડી રહ્યા જલધોધ જયાં, કરુણા તણાં જયણા તણાં, બની ભ્રમર સંયમ વનમહીં કયારે ભમીશ? જ્યારે ભમીશ?. ૨૦ અશોકતા ને વિમલતા, જાણે વિમલ અશોક છે, સુવાસ શીલની મઘમઘે, જાણે કુસુમનો થોક છે ; સૌંદર્ય છે જયાં ચિત્તનું, એ રમ્યતા અણમોલ છે, ચારિત્રના તે ઉપવને, કયારે રમીશ? ક્યારે રમીશ ?..૨૧ ભય ભેરવો આવે ભલે, તો પણ ડગાવી ના શકે, સ્મશાનના ભૂત-પલીત પણ, મુજને ચલાવી ના શકે ; તપથી ભલે તન પીગળે , મનને પીગાળી ના શકે, સ્વામી હું સાત્વિક મન તણો, ક્યારે બનીશ? ક્યારે બનીશ?..રર તપરાગ સત્ત્વને શ્રુત વળી, એ કત્વ બળની ભાવના, ને પાંચથી આતમ રસું, જે છે સુવાસિત બાવના; પૂવો ભણી પ્રતિમા ધરી, કરી ધર્મતીર્થ પ્રભાવના, બની મુક્ત હું કૃત કૃત્યતા, ક્યારે વરીશ ? કયારે વરીશ.. ૨૩ ઉપહાસના કે દ્વેષના કે રોષના હેતુ થકી, કોઈ દેવ, માનવ કે જનાવર, બળતણો મદથી છકી; કરે તાડના કે યાતના, એ મુખ થકી મેલું બકી, ઉપસર્ગ તે ઉપશમ થકી, ક્યારે સહીશ? કયારે સહીશ?...૨૪ શસ્ત્રો ઉગામી હાથથી, જે મારવા તત્પર બને, ક્રોધાંધ છે એ બાપડો, એ ભાવના સ્પર્શ મને; પ્રશમ કટોરા ઠાલવી, તેને સીંચું કરુણા જળે , કરુણા હૃદયમાં એહવી, કયારે ભરીશ? કયારે ભરીશ?..ર૫
(૧૦૧૩ For Persoda & D ate Use Only
Jain Educal
a
nal
www.jainelibrary.org