SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - કાયોત્સર્ગ દ્વારા સ્વગુણની ધારામાં કાયોત્સર્ગ નિર્યુક્તિમાં જે અભિભવ કાયોત્સર્ગની વાત કરી છે ત્યાં લોગસ્સ સૂત્રની કે શ્વાસોચ્છવાસની સંખ્યા જોડે સંબંધ નથી; ત્યાં સમયમાન પર કાયોત્સર્ગ કરવાની વાત છે. અન્તર્મુહૂર્તથી લગાવીને બાર મહિના સુધી અભિભવ કાયોત્સર્ગ કરી શકાય છે. જેનું પ્રસિદ્ધ ઉદાહરણ મહાત્મા બાહુબલીજી છે. કાયોત્સર્ગનો બીજો પ્રકાર છે ચેષ્ટાકાયોત્સર્ગ. જે ગમનાગમન પછી, વિહાર પછી, અને પ્રતિક્રમણાદિમાં કરાય. તે ચેષ્ટા કાયોત્સર્ગ ૮ શ્વાસોચ્છવાસથી ૧૦૦૮ શ્વાસોચ્છવાસ સુધીનો હોય છે. જે કાયોત્સર્ગ સહનશક્તિ મેળવવા માટે કે પરિષહોના અને કર્મોના જય આદિ માટે ખંડેરમાં, સ્મશાન ભૂમિમાં કે જંગલ આદિમાં કરાય છે તે અભિભવ કાયોત્સર્ગ છે. પ્રતિમાપારી શ્રાવકો પણ આવો કાયોત્સર્ગ કરતા હોય છે. એક શ્રાવકની વાત એવી આવે છે. શાસ્ત્રમાં કે, તે એક ખંડેરમાં, રાત્રે કાયોત્સર્ગમાં ઊભા છે. તેમનાં જ શ્રાવિકા, કર્મયોગે, કુછદ્ધે ચઢેલાં, તે જ ખંડેરમાં એક પુરુષ સાથે આવે છે. સઘન અંધારામાં શ્રાવકજી દેખાતા નથી. ખાટલાનો એક પાયો શ્રેષ્ઠીના પગ પર હોય છે અને બેઉ કામક્રીડા કરે છે. બહિંભાવથી કેવા તો આ સાધક ઉપરત બન્યા છે કાયોત્સર્ગમાં, કે આ ઘટનાની નોંધ પણ મનમાં લેવાતી નથી અને તેમની ધ્યાનની ધારા १. सो उस्सग्गो दुविहो चिट्ठाए अभिभवे य नायव्वो । ___ भिक्खायरियाइ पढमो, उवसग्गाभिमुंजणे बिइओ ।। १४५२ २. अट्ठविहंपि य कम्मं, अरिभूयं तेण तज्जयट्ठाए । મળ્યુક્રિયા સતવસંગમ, વ્યંતિ નિકથા || ૨૪૧૬ –ાયો. નિ.(રા. નિ.) ૧૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy