________________
વડોદરાનાં જિનાલયો
(૩૫) શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૫૨ )
સુભાષ પાર્ક સોસાયટી, સંગમ ચાર રસ્તા, હરણી રોડ. હરણી રોડ પર સંગમ ચાર રસ્તા પાસે સુભાષ પાર્ક સોસાયટીના વિશાળ પરિસરમાં શિખરયુકત દેરાસર આવેલ છે.
લાકડાના ત્રણ પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ કરતાં ગોખલામાં શ્રી પદ્માવતી દેવી અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આગળ ગર્ભગૃહની નજીક ડાબી બાજુ ગોખલામાં શ્રી ગૌતમસ્વામી અને જમણી બાજુ શ્રી માણિભદ્રવીરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. રંગમંડપમાં કોતરણીયુકત ચોરસ ઘુમ્મટ છે.
- ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની અષ્ટ પ્રાતિહાર્યયુકત ૨૯" ની પ્રતિમા બિરાજમાન છે. ડાબા ગભારામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૨૧" ની અને જમણા ગભારામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૧૧ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫રમાં આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી અચરજલાલ લલ્લુભાઈ ભણશાળી (મુંબઈ નિવાસી) ના હસ્તે કરવામાં આવી છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૭ના રોજ છે. તે નિમિત્તે દરવર્ષે ધનીબેન અચરજલાલ લલુભાઈ પરિવાર દ્વારા ધ્વજારોપણ કરવામાં આવે છે. તેમજ શ્રીસંઘજમણ અને લ્હાણું પણ થાય છે.
દેરાસરનો વહીવટ શ્રી પુણ્યપવિત્ર શ્વેતાંબર મૂ. પૂ. જૈન સંઘ કરે છે. દેરાસરના ટ્રસ્ટીઓ શ્રી રમણલાલ ચીમનલાલ, જે. ડી. શાહ, નીતીનભાઈ શાહ છે.
આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૨૦૫રમાં થયેલ છે.
(૩૬) શ્રી વિમળનાથ ગૃહ ચૈત્ય (સં. ૨૦૫૦)
સરસ્વતીનગર, વારસિયા રીંગ રોડ. હરણી વારસિયા રીંગરોડ પર મીરા સોસાયટીની આગળ સરસ્વતીનગરમાં શ્રી વિમળનાથ ભગવાનનું ગૃહજિનાલય આવેલું છે.
નીચાણ વાળી જગ્યામાં દેરાસરનું મુખ્ય પ્રવેશદ્વાર જાળી અને લાકડાના ધારવાળું છે. દેરાસરના પ્રવેશદ્વાર ઉપર “શ્રી વિમળનાથજી ગૃહજિનાલય શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન સમાજ, વડોદરા. સ્થાપના તારીખ ૧૦-૧૨-૧૯૯૩. સંવત ૨૦૫૦” લખેલ છે. રંગમંડપ મધ્યમ કદનો