________________
નર્મદા જિલ્લાનાં જિનાલયો
(૧) શ્રી સંભવનાથ જિનાલય (સં. ૧૯૯૫) પોસ્ટ ઑફિસ સામે, બજારમાં, પ્રતાપનગર. તા. નર્મદા.
રાજપીપળાથી ૧૯ કિ. મી.ના અંતરે આવેલ પ્રતાપનગર ગામમાં બજારમાં પોસ્ટ ઑફિસની સામે શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી પૂર્વાભિમુખ જિનાલય આવેલું છે.
દેરાસરનો બાહ્ય દેખાવ સુંદર છે. દેરાસરને ફરતે ત્રણ બાજુએ નાનો બગીચો બનાવેલો છે જેમાં વિવિધ ફૂલોના છોડ ઉગાડેલ છે. પ્રભુપૂજામાં આ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છેં.
કમાનથી જોડેલ નાની-નાની ચોકીઓ દેરાસરની શોભા વધારે છે. જેની ઉપરની દિવાલ પર શ્રી લક્ષ્મી દેવી, બે બાજુ હાથી તથા બે પૂતળીઓ છે એવા પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે. રંગમંડપની છતમાં રાસ-ગરબા રમતી પરીઓનાં ચિત્રકામ છે, અને તળભાગ આરસની ગાલીચા જેવી ડીઝાઈનથી શોભી ઊઠે છે. ગર્ભદ્વાર પાસે દિવાલમાં કાચ-લાકડાની ફ્રેમવાળા ગોખમાં પૂ. તપાગચ્છાધિરાજ આચાર્ય શ્રી દાનસૂરીશ્વરજી મ. સા. ની ૧૩" ની પ્રતિમા બિરાજમાન છે. તેની બાજુમાં તેમના જન્મથી માંડી નિર્વાણ સુધીની વિગતો જણાવેલ છે. બીજા ગોખમાં શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી મ. સા. ની ૧૩" ની પ્રતિમા તેમજ પછીના ગોખમાં યક્ષ-યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે.
ગર્ભદ્વારની ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન કાઉસગ્ગ મુદ્રામાં અને બે બાજુ બે સ્ત્રીઓ અને બે પરીની વાજિંત્ર લઈને ઊભેલી આકૃતિ છે. ગભારામાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની ૨૧" ની પંચતીર્થી પ્રતિમા સહિત ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૧૦ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબ લેખ કોતરવામાં આવ્યો છે. “શ્રી ગુર્જરદેશાન્તર્ગત રાજનગર વાસ્તવ્ય પ્રાગ્ધાજ્ઞાતીય શ્રેષ્ઠિવર્ય બકુભાઈ મણીલાલ સુશ્રાદ્ધેન હિનપુર સુપાર્શ્વનાથં પ્રતાપનગર વિભૂષણ ભવ્ય શિખરબંધી જિનાલય
વિક્રમ સંવત ૨૦૦૦ વર્ષે ફાલ્ગુન શુક્લ ચતુર્થી . .
વાસ્તવ્ય છોટાલાલ હેમચંદ