________________
વડોદરાનાં જિનાલયો
૨૩૩
(૮) શ્રી સુમતિનાથ ગૃહ ચૈત્ય
કાંતિકંચન સોસાયટી, લીમડી. તા. ઝાલોદ. લીમડી ગામમાં કાંતિકંચન સોસાયટીમાં શ્રી રાજેન્દ્રભાઈ કાંતિલાલ ભણશાલીના ઘરમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનું આરસનું ધાબાબંધી ઘરદેરાસર આવેલું છે.
- ઘરની બહાર નીચે એક ઓરડીમાં બેઠક જેવું બનાવેલ છે જયાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૨૩" ની પ્રતિમા સહિત ૨ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે તથા એક ગોખ જેવું બનાવી શ્રી માણિભદ્રવીરની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ છે.
“સં. ૨૦૫ર વૈ. સુ. ૫ શુક્રવાસરે માંડવગઢ તીર્થે તીર્થોદ્ધારક ઉપા. ધર્મસાગરજી શિષ્ય . . . . . . . . . . . . પૂ. પં. ગુરુ . . . . . . . . . શ્રી અભયસાગરજી પટ્ટધર પૂ. પં. શ્રી અશોકસાગરસૂરિ પ્રેરણયા નવનિર્મિત શ્રી સિદ્ધગિરિ શ્રી શિખરજી શ્રી જંબુદ્વીપ અ . . . . . . . . . . . દિ રચના પ્રતિષ્ઠા પ્રસંગે મહોત્સવે લીમડીના શ્રી કાંતિલાલ ભણશાલી . . . . . . . . . પુત્ર શ્રી રાજેન્દ્રભાઈ દિનેશભાઈ પ્રમુખ પરિવારેણ શ્રી સુમતિનાથ બિંબ કારિત પ્રતિ. પૂ. આગમોદ્ધારક હસ્તદીક્ષિત પ્રતિ ચ સાગર સમુ. ગચ્છાચાર્ય શ્રી સૂર્યોદયસાગરસૂરિભિઃ આ. નવરત્નસા. સૂ. ૫. . . . . . . . . . . . . આ. શ્રી સૂર્યોદય . . . . . . . . . . . . શિષ્ય ગુણરત્નસાગર પ્રેરણયા ચ નૂતન . . . . . . . . . . . .
વિશેષ - અહીં પ્રતિમાજી પરોણાગત બેસાડેલ છે. ભવિષ્યમાં સોસાયટીમાં મોટું દેરાસર બનાવવાની પરિવારની ભાવના છે.