________________
પંચમહાલ જિલ્લાનાં જિનાલયો
(૧) શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય
જોટવડ. તા. જાંબુઘોડા જાંબુઘોડાથી ૨ કિ. મી.ના અંતરે આવેલ જોટવડ ગામમાં મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથનું છાપરાબંધી દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથની ૧૧" ની પાષાણ પ્રતિમા તેમજ ૧ ધાતુ પ્રતિમાં બિરાજમાન છે.
પૂ. મુનિરાજ શ્રી વિદ્યુતરત્નવિજય મ. સા. ની નિશ્રામાં દેરાસરની પ્રતિષ્ઠા થયેલી છે. * દેરાસરની વર્ષગાંઠ તિથિ માગસર સુદ ૨ છે. તે નિમિત્તે સંઘ તરફથી ધ્વજારોહણ કરવામાં આવે છે તેમજ સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે.
(૨) શ્રી શાંતિનાથ જિનાલય
કરા. તા. જાંબુઘોડા જાંબુઘોડાથી ૨ કિ. મી.ના અંતરે આવેલ કરા ગામમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ધાબાબંધી દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્ય મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૧" ની પાષાણ પ્રતિમા તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
. વિ. સં. ૨૦૫૪માં દેરાસરની સ્થાપના કરવામાં આવી હતી. જેની પ્રતિષ્ઠા પૂ. મુનિરાજ શ્રી ભદ્રસેનવિજય મ. સા. ની નિશ્રામાં થઈ હતી. પ્રતિષ્ઠાનો લાભ સુશ્રાવિકા શ્રીમતી ચંદનબેન ડાહ્યાલાલ વડોદરાવાળાએ લીધો હતો.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૩ છે. જે નિમિત્તે શ્રી ડાહ્યાલાલ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે, તથા સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે.
ગામમાં શ્રી ચારિત્રવિજયજી જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે ૩૫ વિદ્યાર્થીઓ