________________
૧૮૦
વડોદરાનાં જિનાલયો ગભારામાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની ૧૧" ની પ્રતિમા બિરાજમાન છે. પરિકર ખૂબ જ સુંદર રંગીન કામવાળું છે.
ગામ - નેત્રંગ તાલુકો - વાલિયા. ૩૧. શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૫૩)
ભરૂચ જિલ્લાના વાલિયાથી ૨૩ કિ. મી. નેત્રંગ ગામમાં સુરેશચંદ્ર ચંદુલાલ શાહના ઘરમાં શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. ઘરના ઉપરના માળે એક રૂમમાં આરસપહાણના દેરાસરની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય પૂ. પં. શ્રી જયદર્શનવિજયજી મહારાજની શુભ નિશ્રામાં શકુંતલાબેન સુરેશચંદ્ર શાહ શ્રાવિકાના હસ્તે તા. ૨૦-૨-૯૭ના દિવસે કરવામાં આવી છે.
દેરાસરમાં મૂળનાયક શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનની ૧૧" ની ધાતુની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા સુંદર પરિકરવાની છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૩ છે. દેરાસરની સ્થિતિ સારી છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પાલીતાણાથી લાવીને અમદાવાદ નજીક અમિયાપુર ગામમાં તપોવન ખાતે અંજન શલાકા કરવામાં આવેલ અને ત્યારબાદ અહીં પધરાવવામાં આવી છે.
જિનાલયનો સમય સં. ૨૦૧૩નો છે.
ગામ - નેત્રંગ તાલુકો - વાલિયા.
૩૨. શ્રી શ્રેયાંસનાથ જિનાલય વાલિયાથી ૨૩ કિ. મી. દૂર આવેલ નેત્રંગ ગામ મુખ્યત્વે આદિવાસી વિસ્તારનું બજારમથક તરીકે હાલ જાણીતું છે. આ ગામ રાજપીપળા, ઝંખવાળ, મહારાષ્ટ્ર, અંકલેશ્વર એ વિવિધ કેન્દ્રોથી જોડાયેલું છે.
નેત્રંગમાં દેરાસરના ચોગાનમાં પ્રવેશ કરતાં ડાબા હાથે ઉપાશ્રયનાં બે માળનાં બે મકાન આવેલાં છે. જમણા હાથે ત્રણ રૂમ અને આયંબિલ શાળા છે.
આ દેરાસર પૂર્વદિશાભિમુખ છે. એક શિખર ધરાવે છે. દેરાસરની બે બાજુ બે વિશાળ હાથીનાં શિલ્પ મૂકેલાં છે. પાંચ પગથિયાં ચડતાં શૃંગાર ચોકીમાં પ્રવેશીને આગળ વધતાં મુખ્ય પ્રવેશદ્વાર આવે છે જે સુંદર કમાનોવાળું અને કોતરણીવાળું છે. તેની આજુબાજુ બે બારી છે. અંદર જતાં ડાબી બાજુ શ્રી પદ્માવતી દેવી જમણી બાજુ શ્રી માણિભદ્રવીરની મૂર્તિઓ બિરાજમાન