________________
૧૭૧
વડોદરાનાં જિનાલયો તા. ૨-૨-૫૫ના રોજ કર્યાનું લખેલ છે.
ગર્ભદ્વાર પાસે ઉપરની દિવાલ પર શ્રી નવપદજી અને શ્રી નવકાર મંત્રનો પટ ચિત્રિત છે. ગર્ભદ્વારના બહારના ગોખમાં યક્ષ-યક્ષિણી છે. ગર્ભદ્વારની દિવાલ પર બે ઊભા દ્વારપાળ સોનેરી અને લાલ રંગથી ચિત્રિત કરીને કાચથી મઢેલ છે. બારસાખ કાષ્ઠની રંગીન છે, ઉપર લક્ષ્મીજી અને બે હાથી બેસાડેલ છે. આરસના લાંબા પબાસન પર ૫ ભગવાન પ્રતિષ્ઠિત છે. મૂળનાયક ભગવાન શ્રી શાંતિનાથની પ્રતિમા ૩૩" ની છે. મૂળનાયક ભગવાનની પાછળ દિવાલ પર સોનેરી ચિત્રકામ છે. દેવ-દેવીઓ ઉતરતાં બતાવેલ છે. ફૂલછોડની ડિઝાઇન છે અને ઘુમ્મટનો આકાર ચિત્રિત કરેલ છે. ગભારામાં ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૧૯ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ છે. “સં. ૧૮૪૫ વર્ષે મહા સુદિ ૭ દિને શ્રીમાળી જ્ઞાતીય . . .
ડાબી બાજુનાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર “સં. ૧૮૪૫ મહા સુદ ૭” વંચાય છે. જમણી બાજુનાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર “સં. ૧૯૬૨ મહા સુદ ૨ શ્રી વિજય મુનિંદ્ર સૂરિભિઃ . . . . . . . . . .” વંચાય છે.
દેરાસરની ઉપર શિખરની નીચે નાની ઓરડીમાં શ્રી આદીશ્વર ભગવાન અને શ્રી મહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે. શ્રી મહાવીરસ્વામી ભગવાનને લેપ કરેલ છે અને ચોવીસી છે. ભગવાનની પાછળ સોનેરી ચિત્રકામ છે. અહીં ૨ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ૧૧" ની છે. એક જોડ શ્રી નેમિસૂરીશ્વર મ. સા.નાં પગલાં છે. પગલાં પર લેખ નીચે મુજબ છે.
- “સંવત ૨૦૧૧ માઘ સુદ-૧૦ બુધવાર પ. પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરની ગુરુપાદુકા અંકલેશ્વર સંઘેન ભક્વાર્થ કારિતા શ્રી વિજયકસૂરસૂરિભિઃ ”
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૦ છે. તે નિમિત્તે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. તેના માટે ચઢાવો બોલાય છે. તે દિવસે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે.
અહીં એક શ્રાવકોનો અને શ્રાવિકાઓનો ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં જ પાઠશાળા ચાલે છે. અહીં ૩૦-૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઉપાશ્રય, પાઠશાળા અને દેરાસરનો સમગ્ર વહીવટ શ્રી શાંતિનાથ જૈન શ્વે. મૂ. પૂ. સંઘના હસ્તક છે.
ગામમાં કુલ ૩ દેરાસર અને ૧ ઘરદેરાસર છે. બે શ્રાવક અને બે શ્રાવિકા ઉપાશ્રય છે.
ગા ૧ પાઠશાળા છે. ગામમાંથી ૫ બહેનો અને ૧ ભાઈએ દીક્ષા ગ્રહણ કરેલ છે. ગામમાં ૧૦૦ જૈન કુટુંબો વસે છે.