________________
૧૪૬
વડોદરાનાં જિનાલયો
ગામઃ ઝાંખરપુરા તાલુકો : સંખેડા
૭૧. શ્રી શ્રેયાંસનાથ જિનાલય (સં. ૨૦૧૯) સંખેડા તાલુકાના ઝાંખરપુરા ગામમાં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ૧૧" ની પાષાણ પ્રતિમા તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૧૯માં દેરાસરની પૂ. ગણિવર્ય શ્રી ઈન્દ્રવિજયજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ સુશ્રાવિકા શ્રીમતી મીઠીબેન લીલાધર ગુલાબચંદ (વેરાવળવાળા) પરિવારે લીધો હતો.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૪ છે જે નિમિત્તે ધ્વજા ચઢાવવામાં આંવે છે.
ગામમાં શ્રાવકનો જૈન ઉપાશ્રય તેમજ શ્રી શ્રેયાંસનાથ જૈન પાઠશાળા છે જેમાં આશરે ૪૦ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૨૦ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ગામમાંથી ૩ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
જિનલાયનો સમય સં. ૨૦૧૯નો છે.
ગામઃ છોટા ઉદેપુર તાલુકોઃ છોટા ઉદેપુર
૭૨. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૧૯૯૧) છોટા ઉદેપુરમાં બજાર રોડ પર જમણી બાજુ મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું પૂર્વાભિમુખ ઘુમ્મટબંધી દેરાસર આવેલું છે.
ઉંચી દિવાલથી રક્ષિત દેરાસરની બહારની દિવાલ પર પૂતળી, સિંહ, ફૂલમાળા, શ્રી સરસ્વતી દેવી, પરી આદિની કૃતિ જોવા મળે છે. લોખંડના બે ઝાંપામાંથી અંદર પ્રવેશ થાય છે અને પછી નાનો ઓટલો આવે છે. પગથિયાં ચઢતાં કાષ્ઠના ૩ પ્રવેશદ્વાર આવેલાં છે. અહીં એક ગોખમાં અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીરની સુંદર ઊભી પ્રતિમા છે.
પ્રશસ્તિ :નમ:
શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરનો જીર્ણોદ્ધાર છોટા ઉદેપુરના શ્રી જૈન શ્વેતાંબર સંઘે રૂ. ૨૧, ૦૦૦ ખર્ચ કરી પ્રતિષ્ઠા વી. સં. ૨૪૬૧ વિ. સંવત ૧૯૯૧ના ફાગણ સુદી 2 ને