SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આવકાર અમદાવાદ ભારતનાં ખીજા ઔદ્યોગિક નગરો કરતાં અનેક રીતે જુદુ` તરી આવે છે. સ્વત્વ અને સ્વાશ્રયની ઊંડી તાકાત તેની પ્રામાં પરંપરાથી ઊતરી આવેલી છે. બીજા શહેરો બહારના ઔદ્યોગિક આક્રમણને કારણે ભાંગી પડયાં હતાં. એક અમદાવાદ જ તેની સામે ટકી રહ્યું હતું, કેમ કે તેને વેપાર-ઉદ્યોગ કોઈ રાજા-મહારાજાને આશ્રયે ખીલ્યે નહેાતા, પણ તેની પ્રજાની આગવી સૂઝખૂઝ, ખત અને પુરુષાથ નું ફળ હતું. વળી અમદાવાદની રોનક અને જાહેોજલાલી બીજા શહેરોની માફક ગામડાંના શાષથી ઊભી થયેલી નથી, પણ તેના વેપારઉદ્યોગને પ્રતાપે છે. એક રીતે કહીએ તેા, અમદાવાદ એટલે કારીગરા, વેપારી અને શરાફાનુ સંગઠન, મહાજન. ગુજરાત વેપાર ટકાવીને બહારનાં પરિબળાથી તેનું રક્ષણ કરવાનુ કામ તેનાં મહાજનેાએ કરેલું છે. છેલ્લાં એક હજાર વર્ષાથી અનેક ઝંઝાવાતાની સામે મધ્યમ વર્ષાંતે ટકી રહેવાનુ બળ આ મહાજનની સ`સ્થાએ પૂરું પાડયુ છે. ગુજરાતના જેવું મહાજનનું સગઠન ભારતમાં કયાંય નથી, અને અમદાવાદના જેવું સમં અને સંપૂર્ણ બંધારણુંવાળુ' મહાજન ગુજરાતમાં ખીજે નથી. આ મહાજનનું બળ એટલે સંપ અને એકતાનુ બળ. તેનાથી એ રાજસત્તાની સામે લડેલ છે. તેનાથી નાનામોટા હુન્નરા જૂના વખતથી સચવાઈ રહ્યા છે. પરદેશી સત્તા સામે ધધાદારીને તેનાથી રક્ષણ મળ્યું છે. અમદાવાદનું મહાજન આ બાખતમાં સૌથી વધુ શક્તિશાળી હતું. આ મહાજને એક વાર પોતાનું ચલણ પણ ચલાવ્યું હતુ. એમ અમદાવાદના ઇતિહ્રાસકાર રત્નમણિરાવ જોટેએ નાંખ્યું છે. વશપર ંપરાથી ચાલતી આવેલી શ્રીમંત વણિાની આર્થિક સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા અમદાવાદના વ્યક્તિત્વનું એક અનેખું અંગ છે. યુરોપીય શહેરના જેવી સ્વાયત્તતા તેણે નથી ભાગવી, પણ શાસકોને પ્રજાની ખુચ્છાને અનુકૂળ બનાવી શકે તેટલી વગ અને કુશળતા આ વેપારી વગ`નાં મહાજના અને તેના મુખરૂપ નગરશેઠામાં હતી. આ બલિષ્ઠ પર પરાના સ્તંભ અને આદ્ય પુરુષ જેવા શેઠ શ્રી શાન્તિદાસ આ પુસ્તકના મુખ્ય વિષય છે. શાન્તિદાસની સાતમી પેઢીના પૂર્વજ પદ્મસિંહ ક્ષત્રિય જાગીરદાર હતા. તેમણે જૈન ધર્મની દીક્ષા લીધેલી. મુસ્લિમ આક્રમણુથી ત્રાસીતે શાન્તિદાસના પિતા સહસ્રકિરણ રાજસ્થાનમાંથી અમદાવાદ આવીને વસ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy