________________
પરિશિષ્ટ ,
૧૮૯ ફરમાનની સાથે સાથે તેમને માનને પિશાક, કાનના એરિસ વગેરે પણ આપવામાં આવેલ. ૧૧
હજી નગરશેઠ શ્રી ખુશાલચંદને ગુજરાતના અધિકારી વર્ગ સાથે સંઘર્ષ પૂરા થયે ન હોય તેમ અમદાવાદ પાછા આવ્યા પછી પણ અમદાવાદના ડેપ્યુટી વાઈસરાય રતનસિંગ ભંડારી, વેહરા નેતા અહમદ વગેરે તરફથી તેમને પજવણી થવા માંડી. તેમને પિતાને નગરશેઠ તરીકે સત્તા મળતી ન હોય તેવું લાગ્યું. તેનાથી પણ આગળ વધીને જ્યારે તેમને માનભંગ કરવાની તૈયારી રતનસિંગ ભંડારી વગેરેએ દાખવી ત્યારે રાજસત્તાથી દબાવાનું પસંદ ન કરનાર નગરશેઠ ખુશાલચંદે તે લડવાની તૈયારી પણ રાખી. પરંતુ નગરશેઠના કેટલાક હિતેચ્છુઓએ તેમને શહેર છેડી દેવાની સલાહ આપતાં તેઓ અમદાવાદ છેડીને પેથાપુર, ત્યાંથી વાસણું અને ત્યાંથી જૂનાગઢ ગયા અને ઈ. સ. ૧૭૩માં તેઓ અમદાવાદ પાછા આવ્યા. ૧૨
ઈ. સ. ૧૭૪૩ થી ૧૭૫૮ના સમય દરમ્યાન ગુજરાતમાં હરીફ મંગલ ઉમરની લડાઈમાં મરાઠાઓ ફાવી ગયા હતા. આ સમય ગુજરાત માટે અવ્યવસ્થા અને અંધાધૂંધીને હતે. ઈ. સ. ૧૭૪૩ના સમય દરમ્યાન મરાઠા નેતા રંગેજીએ પૈસા મેળવવા માટે નગરશેઠ ખુશાલચંદને કસ્ટડીમાં પૂર્યા હતા, જ્યાંથી તેઓ છટકી ગયા હતા.૧૩
આમ રાજકીય કાવાદાવાથી સભર તેમના જીવન પ્રસંગે જતાં તેઓ એક મુત્સદ્દી વણિક તે જણાઈ જ આવે છે. કેટલાક ટીકાકારે તેમની ટકાએ પણ કરે છે, તે કેટલાક ટીકાકારે રાજસત્તા સાથે સતત લડત આપનાર એક જાગૃત વ્યક્તિ તરીકે તેમની પ્રશંસા પણ કરે છે. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કોમિસેરિયેટ નગરશેઠ શ્રી ખુશાલચંદના વ્યક્તિત્વ માટે જે ઉલ્લેખ કરે છે તેની નેંધ સાથે, ઈ. સ. ૧૭૪૮માં મૃત્યુ પામેલા આ ખમીરવંતા નગરશેઠના વૃત્તાંતને સમાસ કરીએ. - શ્રી કેમિસેરિયેટ જણાવે છે: “ઈ. સ. ૧૭૪૮માં, પ્રખ્યાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org