SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૩૧ કરી તે જૈનેના આ પવિત્ર તીર્થની રક્ષા માટે તેમની ચિંતાનું સૂચન કરે છે. આ ફરમાન અપાયા પછી માત્ર એક અઠવાડિયામાં જ, મુરાદબક્ષ ઔરંગઝેબના હાથે કેદ થઈ ગયું હતું એટલે ગુજરાતના સત્તાધીશ બનેલા ઔરંગઝેબના શાસનમાં આ ફરમાન નકામું ન બની જાય, તે માટે, મુરાદબક્ષનું ફરમાન મળ્યા પછી માત્ર એક મહિનામાં જ, પાલીતાણને લગતું છેલ્લું, ચોથું ફરમાન પણ શાંતિદાસે મેળવી લીધું હતું. ફરમાન નં. ૭ : પાલીતાણા અંગે એથું ફરમાન ઈ. સ. ૧૬૫૮ ના જુલાઈ માસની ૨૧મી તારીખે ઔરંગઝેબના પહેલી વખતના રાજ્યારોહણને પ્રસંગ બન્યા બાદ માત્ર આઠ જ દિવસ પછી, તા. ૨૯ મી જુલાઈ ૧૯૫૮ ના દિવસે લખાયેલ આ ફરમાનનાં વિષય અને લખાણ ત્રીજા ફરમાન જેવાં જ છે. અડધી સદી સુધી ભારત પર રાજ્ય કરનાર આ મોગલ બાદશાહ દ્વારા અપાયેલ આ ફરમાન તેના રાજ્ય ગ્રહણ કર્યા પછી તુરતના સમયમાં અપાયેલ ફરમાનેમાંનું એક ફરમાન છે. વળી આ ફરમાનની એક રાજકીય વિશેષતા એ છે, કે તે રાજ્યગ્રહણ કર્યા પછી તરતના સમયમાં આપવામાં આવેલ હઈ તેમાં ઔરંગઝેબના રાજકુમાર તરીકેના સમયનાં ફરમાનમાં વપરાતાં મહેર અને સિક્કા જ વાપરવામાં આવ્યા છે, કારણ કે રાજકુમારમાંથી બાદશાહ બનેલા ઔરંગઝેબના નવા સિકકા અને નવાં રાજકીય વિશેષણે હજુ તૈયાર થયાં ન હતાં. આ ફરમાન ત્રીજા ફરમાનમાં રજૂ થયેલ વિષયને સ્પષ્ટ કરતાં જણાવે છે : “પાલીતાણ કે શત્રુંજય પરગણું બે લાખ દામના બદલામાં અલમથા રૂપે શાંતિદાસને ઈનામમાં આપવામાં આવ્યું છે. શાંતિદાસે સલ્તનતના રાજદરબારમાંથી તેના અંગે શાહી આદેશની માગણી કરી છે. તેથી ઔરંગઝેબ તે પરગણું શાંતિદાસ અને તેના વંશજોને ઇનામ તરીકે જાહેર કરીને અમલદારે તથા મુત્સદ્દીઓને એનું પાલન કરવા અંગેની જરૂરી સૂચના આપે છે કે કર, વેર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy