________________
() પાકને ઉપદ્રવ કરનાર તીડ વગેરેનો અભાવ (૫) ઉપદ્રવોનો અંત (૬) અતિવૃષ્ટિ ન થાય. (૭) અનાવૃષ્ટિ (દુકાળ) ન થાય. (૮) ખરાબ સમયનો અભાવ (૯) પોતાના રાજ્ય તેમ જ બીજા રાજ્યના ભયનો અભાવ (૧૦) સમવસરણ રચના
(૧૧) અર્થગંભીર વાણી. (ગ) દેવતાઓએ પરમાત્મભક્તિ માટે કરેલ ઓગણીસ અતિશયો
(૧) ધર્મચક્રની રચના (૨) ચામરનું વીંઝાવું (૩) પાદપીઠ સહિત સિંહાસનનું ચાલવું. () ત્રણ છત્રોનું ધારણ થવું. (૫) રત્નમય ધર્મધ્વજનું આગળ ચાલવું. (૬) પગલે પગલે સુવર્ણકમળોની રચના. (૭) સમવસરણમાં ત્રણ ગઢની રચના થવી. (૮) ઉપદેશ સમયે જુદી જુદી ચાર દિશામાં પ્રભુનાં મુખ દેખાવાં.
૯) અશોકવૃક્ષની રચના થવી. (૧૦) માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ થવા. (૧૧) વૃક્ષોએ ડાળી ઝુકાવી નમન કરવું. (૧૨) દેવદુંદુભિનું વાગવું. (૧૩) કચરો આદિ દૂર કરનાર સંવર્તક જાતિના પવનનું વહેવું. (૧૪) પક્ષીઓ વડે પ્રદક્ષિણા થવી. (૧૫) ગંધોદક (સુગંધી પાણી)ની વૃષ્ટિ થવી. (૧૬) પંચરંગી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવી. (૧૭) શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ-પગના નખોની વૃદ્ધિ ન થવી. (૧૮) કરોડો દેવોનું સમીપમાં રહેવું
(૧૯) ઋતુઓ અનુકૂળ મનોહર બનવી. આમ ૪ + ૧૧ + ૧૯ મળી કુલ મુખ્ય ૩૪ અતિશયો છે.
અરિહંતના બાર ગુણો અષ્ટપ્રાતિહાર્ય ઉપરાંત જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય (ઉપદ્રવ દૂર થવા) એ મળીને અરિહંત (તીર્થકર)ના બાર ગુણ ગણાય છે.
- તીર્થકર ભગવંતોના વર્ણનમાં સાતત્યપૂર્વક પ્રયોજાતા કેટલાક શબ્દો જ ૪૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org