________________
વૈરાગ્યવાસિત થઈ દીક્ષા ધારણ કરી. બંનેએ થોડા જ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કવિ આ માતા-પિતાના સંદર્ભે પોતાની પ્રાર્થના રજૂ કરતાં કહે છે :
જિન પાય સેવતાં રે ભલો પામ્યો કેવલનાણ. પ્રેમ મુની વિનતી રે મુજ આપો અવિચલઠાણ.
(૨૪, ૫) અંતમાં કવિએ કળશમાં ૨૪ તીર્થકરોને વંદન કરી વડોદરા-નગરના આલમપુર વિસ્તારમાં આ ચોવીશી રચાયાનો ઉલ્લેખ કર્યો છે. કવિએ “ભાવસાર ભાવે વખાણું આનંદ લીલ વિલાસ' કહી પોતાની પૂર્વાવસ્થાની જ્ઞાતિનું સૂચન કર્યું છે. તે સમયે નાગર, ભાવસાર, આદિ જ્ઞાતિઓમાં જૈનધર્મનું પાલન કરનારા શ્રાવકો હતા, તે ઇતિહાસ પ્રસિદ્ધ વિગતનું આમાં સમર્થન થાય છે.
કવિની રચના સરળ, પ્રાસાદિક છે. કવિએ પ્રયોજેલા રાગ અને ઢાળ પણ સરળ અને બહુધા પ્રચલિત છે. કવિનાં કેટલાંક સ્તવનોમાં તીર્થકરોની બાલ્યાવસ્થાનું સુંદર ચિત્રણ થયું છે. તો કેટલાંક સ્તવનોમાં સંક્ષિપ્તમાં તીર્થકરોના ચરિત્ર વર્ણવવાનો પ્રયાસ થયો છે. કવિના અંતિમ સ્તવનમાં મહાવીરસ્વામીનાં માતા-પિતાના મિલન દ્વારા બાલ્યાવસ્થાનો સંદર્ભ અન્ય રીતે જાણે જોડાય છે. આમ, આ સ્તવનચોવીશી કેટલાક ભાવપૂર્ણ અંશો ધરાવે છે. પરંતુ આ રચના મુખ્યત્વે શ્રાવક-શ્રાવિકાના નાના વર્તુળને ઉદ્દેશીને રચાઈ હોય એવું વિશેષ જણાય છે. આ રચના ભક્તિભાવના આલેખનના કે તત્ત્વવિચારના વિશેષ ઊંચા લક્ષ્યો સિદ્ધ કરતી નથી.
- અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૩૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org