________________
કવિની આ સરળ, હૃદ્ય, ભાવસભર, સજીવ શૈલીને કારણે આ સ્તવનો આકર્ષક બન્યા છે.
આ ઉપરાંત આ સ્તવનોમાં અનેક ચરિત્રાત્મક વિગતો ગૂંથાયેલી છે. માતા, પિતા, નગરી, ઊંચાઈ, વર્ણ, આયુષ્ય, મોક્ષસ્થળ આદિ વિગતો ૪, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૧ એમ કુલ ૧૫ સ્તવનોમાં ઓછેવત્તે અંશે આલેખાયેલી જોવા મળે છે. તેમજ ચૌદમા સ્તવનમાં કવિએ પાસ જિનેસર પાએ નમિનઈ એમ મંગલાચરણ કરીને પ્રારંભ કર્યો છે. શક્ય છે કે, કૃતિના મધ્યમાં પણ પુનઃ મંગલાચરણ કરવાની પરંપરાનું અનુસરણ કર્યું હોય. જોકે કૃતિના આરંભે કે અંતે મંગલાચરણ નથી.
ટૂંકમાં, આ ચોવીશીરચના પોતાની સરળ-સહજ શૈલી, એવા જ મનોરમ સરળ અલંકારો અને ભક્તિભાવની અભિવ્યક્તિ તેમ જ કેટલાક મનોહર કાવ્યાત્મક ઉન્મેષોને કારણે ચોવીશીરચના તરીકે નોંધપાત્ર
૩૩૬ ક. ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય સરિતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org