SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જેઠ સુદ ૧૩ના દિવસે અનુરાધા નક્ષત્રમાં વારાણસીનગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠની તપશ્ચર્યા હતી અને પ્રથમ પારણું મહેન્દ્રના ઘરે ખીર દ્વારા કર્યું. નવ માસ સુધી છબસ્થ (કેવળજ્ઞાન પૂર્વેની સાધુ-અવસ્થામાં) રહ્યા બાદ મહા વદ છઠના દિવસે અનુરાધા નક્ષત્રમાં શિરીષ વૃક્ષની નીચે લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રભુની પ્રથમ દેશના સાંભળી વિદર્ભ નામે પ્રથમ શિષ્ય અને સોમા નામે પ્રથમ સાધ્વી થયાં. તેમના ૯૫ ગણધરો, ત્રણ લાખ સાધુ, ચાર લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ સત્તાવન હજાર શ્રાવકો, ચાર લાખ ત્રાણુ હજાર શ્રાવિકાઓ હતાં. પ્રભુ મહા વદ સાતમના દિવસે મૂળ નક્ષત્રમાં સમેતશિખર પર્વત પરથી એક માસનું અનશન કરી મોક્ષે ગયા. પ્રભુનાં માતંગ નામે યક્ષ અને શાન્તા (ધરણી) નામનાં યક્ષિણી છે. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી વારાણસી (ભદૈની), મથુરા અને માંડવગઢ તીર્થમાં શોભી રહ્યા છે. આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ૯૦ કોટિ સાગરોપમના અંતરે થયા. તેઓ ચંદ્રપુરીના રાજા મહાસન અને લક્ષ્મણાદેવીના પુત્ર હતા. તેમનો જન્મ માગશર વદ ૧૨ના દિવસે અનુરાધા નક્ષત્રમાં થયો. તેઓ ચંદ્ર લાંછન અને ઉજ્જવળ વર્ણથી સુશોભિત હતા. યોગ્ય વયમાં આવ્યા બાદ વિવાહ તેમ જ રાજ્યાભિષેક થયા. ૬ || લાખ પૂર્વ અને ૨૪ પૂર્વાગ સુધી રાજ્યધુરા સંભાળ્યા બાદ માગશર વદ તેરસના દિવસે અનુરાધા નક્ષત્રના શુભ યોગે ચંદ્રપુરી (ચંદ્રાનનાનગરી)ની બહાર સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠ તપ કર્યો હતો. તેનું પારણું પ્રભુએ સોમદત્તને ત્યાં કર્યું. ત્રણ માસમાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી ફાગણ વદ સાતમના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રાનનાની બહાર આવેલા ઉદ્યાનમાં પુનાગ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમનાં પ્રથમ શિષ્ય દિન અને શિષ્યા સુમના હતાં. તેમનાં ૯૫ ગણધરો હતા. તેઓના અઢી લાખ સાધુ અને ત્રણ લાખ વીસ હજાર સાધ્વીઓ હતાં. અઢી લાખ શ્રાવકો અને ચાર લાખ એકાણુ હજાર શ્રાવિકાઓ હતાં. પ્રભુએ પૃથ્વીલોક પર અનેક વર્ષો સુધી ધર્મદેશના આપતાં પરિભ્રમણ કર્યું. ત્યાર બાદ એક માસનું અનશન કરી શ્રાવણ વદ સાતમના દિવસે શ્રવણ નક્ષત્રના યોગે સમતશિખર પર્વત પરથી મોક્ષગમન કર્યું. પ્રભુનું કુલ આયુષ્ય ૧૦ લાખ પૂર્વ હતું અને ઊંચાઈ દોઢસો ધનુષ્ય હતી. પ્રભુનાં વિજય નામે યક્ષ અને જ્વાલામાલિની (ભૃકુટિનામે યક્ષિણી છે. શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં ચંદ્રપુરી, પ્રભાસપાટણ તીર્થો પ્રસિદ્ધ છે. નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાનનો જન્મ શ્રી ચંદ્રપ્રભ સ્વામીના નિર્વાણ પછી ૯ કોટિ સાગરોપમના અંતરે કાનન્દીનગરીમાં સુગ્રીવ રાજા અને રામારાણીના પુત્રરૂપે થયો. તેમના દાંત કુંદપુષ્પ જેવા સુંદર હોવાથી તેમનું અપરનામ પુષ્પદંત પણ પ્રસિદ્ધ છે. તેમનો જન્મ કારતક પાંચમ, મૂળ નક્ષત્રમાં થયો હતો. તેમનો વર્ણ ઉજ્વળ હતો અને લાંછન મગરમચ્છનું હતું. તેમણે ૫૦ હજાર પૂર્વ અને ૨૮ પૂર્વાગ કકન્દીમાં રાજ્ય કર્યું, ત્યાર બાદ સર્વ સંસારનો ત્યાગ કરી કારતક વદ છઠના દિવસે મૂળ નક્ષત્રમાં કાકન્દીનગરીમાં પ્રવજ્યા ધારણ કરી. પ્રભુએ છઠ્ઠનો તપ કર્યો હતો અને પુષ્પ નામના ભાગ્યશાળી સજનના ઘરે ખીર વડે પારણું કર્યું. ચાર માસની સાધના બાદ કારતક સુદ ત્રીજના દિવસે મૂળ નક્ષત્રમાં કાકન્વીનગરીની બહાર આવેલા ઉદ્યાનમાં માલુર વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમની પ્રથમ દેશના સાંભળી વરાહ નામના ૨૪૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - મારા વાલાવાવાળા મારામારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy