________________
(૬) આ ચોવીશીઓમાં તાત્ત્વિક વિષયોના આલેખનને કારણે સ્તવનનું ઊર્મિકાવ્યસ્વરૂપ કેટલાંક સ્તવનોમાં
સહેજ અળપાય છે. એ કેવળ તાત્ત્વિક ચર્ચાનાં કાવ્ય બની જાય છે.
સંસ્કૃત કાવ્યસાહિત્યમાં સમંતભદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકર જેવા આચાર્યોની સ્તુતિઓમાં અનેક દાર્શનિક વિષયોને કાવ્યોમાં ગૂંથાયેલા મળે છે. હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ “વીતરાગસ્તવમાં પણ પરમાત્માના લોકોત્તર ગુણોનું સુંદર રીતે આલેખન થયેલું જોવા મળે છે.
મધ્યકાળમાં પાર્જચંદ્રસૂરિની ચોવીશીમાં પણ કેટલાક દાર્શનિક વિષયોનો સ્પર્શ જોઈ શકાય છે. પરંતુ આનંદઘનજીની ચોવીશીમાં તો અનેક દાર્શનિક વિષયોના આલેખને મધ્યકાલીન ગુજરાતી સ્તવન-કવિતા માટે દાર્શનિક વિષયોનો માર્ગ પ્રશસ્ત કર્યો. તે માર્ગે દેવચંદ્રજી, પવિજયજી, વિજયલક્ષ્મીસૂરિ, રત્નવિજયજી, જિનવિજયજી તેમ જ અર્વાચીનકાળમાં બુદ્ધિસાગરસૂરિ જેવા અનેક કવિઓએ પ્રયાણ કર્યું. તેમાંના કેટલીક નોંધપાત્ર સ્તવનચોવીશીકારોનો અભ્યાસ પ્રસ્તુત છે.
જ્ઞાનપ્રધાન ચોવીશી ૧૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org