________________
તો કવિ પરમાત્મા સમક્ષ થતાં નૃત્યમહોત્સવનું રવાનુકારી અને વર્ણાનુપ્રાસમંડિત વર્ણન આલેખે છે,
વાઈ વાઈ રે અમરી વીણ વાજે, મૃદંગ રણકે રે. ઠમક પાય વિછુવા ઠમકે, ભેરી રણકે રે. ઘમ ઘમ ઘુમરી ઘમકે, ઝાંઝરી ઝમકે રે નૃત્ય કરતી દેવાંગના, જાણે દામિની દમકે રે દોં દી કિંદો દુદુભિ વાજે, ચૂડી ખલકે રે ફૂદડી લેતા ફૂમતી ફરકે, ઝાલ ઝબૂકે રે
(૧૭, ૧-૨-૩) નૃત્ય કરતી અપ્સરાની વેગવંત ગતિને વીજળીના ચમકારા સાથે સરખાવવામાં કાવ્યત્વની ચમત્કૃતિ પણ અનુભવાય છે. પરમાત્મા સાથેની પોતાની દઢ પ્રીતિનું ચિત્ર પણ કવિએ સુંદર ઉપમાઓ દ્વારા આલેખ્યું છે;
મનડામાં જિમ મોર ઇચ્છે, ને ગાજે ગગન રે ચિત્તડામાં જિમ કોઈલ ચાહે, માસ ગન રે. એવી તુજશું આસકી, મુને ભરું ડગન રે.
૯, ૨-૩) સુપાસજી તારું મુખડું જોતાં રંગ ભીનો રે. જાણે પંકજની પાંખડી પર ભ્રમર લીનો રે.
(૭, ૧) કવિની શક્તિનું એક ઉત્કૃષ્ટ દગંત પાર્શ્વનાથ સ્તવનમાં પ્રાપ્ત થાય છે. યમક, અંત્યાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ આદિ શબ્દાલંકારોની સહાયથી કવિએ વાત્સલ્યભાવનું સુંદર નિરૂપણ કર્યું છે. આ પ્રકારની રચના જૈનસાહિત્યમાં મળતી જૂજ રચનાઓમાંની એક છે.
ચાલ, ચાલ રે કુંવર! ચાલ તાહરી ચાલ ગમે રે. તુજ દીઠડા વિના મીઠડા, માહરા પ્રાણ ભમે રે. ૧ ખોળામાંહિ પડતું મેહલે, રીસે દમે રે. માવડી વિના આવડું છું કોણ ખમે રે ? ર. માતા વામા કહે મુખડું જોતાં, દુખડાં શમે રે. લળી લળી ઉદયરત્ન પ્રભુ! તુજને નમે રે. ૩
સ્ત. ૨૩) પરમાત્માની બાલ્યાવસ્થાની ચાલનું ગતિમય વર્ણન ભાલણનું રામની ચાલને વર્ણવતાં પદની યાદ અપાવે છે. કવિની સહજ વર્ણન શૈલીને લીધે આ પદ સદ્ય હૃદયને સ્પર્શે છે. દીઠડા, મીઠડા, મુખડું, દુખડાં જેવી
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org