________________
આમ કવિએ જૈન – હિંદુ પૌરાણિક સંદર્ભો તથા ભાષાના વિપુલ જ્ઞાનના બળે અને કવિત્વશક્તિ વડે વિવિધ લાંછનોનાં રહસ્યને પ્રગટ કર્યું છે, જે ન્યાયસાગરજીની બહુશ્રુતતા અને કવિપ્રતિભાનું દ્યોતક બની રહે છે.
કવિએ લાંછનના રહસ્યની જેમ જ કેટલાક પરમાત્માના ક્રમની જોડે જૈન તત્ત્વજ્ઞાનના પ્રસિદ્ધ પદાર્થો કે લોકપ્રસિદ્ધ સંખ્યાઓ જોડીને જાણે કમની યથાર્થતા સૂચવેલ છે. ચોથા જિનને સેવતાં ગુણ૦ લહીયે ચોથો વર્ગ.
(૩, ૪, ૫) સાતે સુખ આવી મીળે હો અખય અચલ સરિસિદ્ધ
(૩, ૭, ૪) આઠ કર્મોનો નાશ કરી અડસિદ્ધિ લહી હો લાલ.
(૩, ૮, ૫) નામે નવહનિધાન, આય મિળે એક થાત આજ હો! જેહની રે આણા છે નવતત્તે મિનીજી.
(૩, ૯, ૪) તેર ક્રિયા વળી જિણે રે, તેરસમા જિનભાણ
(G, ૧૩, ૫) ચઉદ ગુણઠાણ સોપાન ચઢી નિજ ગુણ, આવતા આપમાંહિ સંભાળે
, ૧૪, ૪) પનરભેદે સિદ્ધ દેખાવે, પરમો જિન દીપે.
(૪, ૧૫, ૫) સત્તરભેદે સંયમ આરાધી, પામી રે જેણે સહજ સમાધિ.
, ૧૭, ૧). પાપસ્થાનક અઢાર નિવારતા, ધારે બંભ અઢાર.
વિ, ૧૮, ૧) આમ, કવિએ કેટલાક તીર્થકરોના સ્તવનમાં ક્રમને જૈન તત્ત્વજ્ઞાનના પદાર્થો સાથે જોડી દઈ મનોહર કાવ્યરૂપ આપ્યું છે.
કવિનાં કેટલાંક સ્તવનો પર આનંદઘનજી, યશોવિજયજી જેવા સમર્થ પુરોગામીનો પ્રભાવ જોઈ શકાય છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ આદિ ચાર પ્રકારના ધર્મોની ચર્ચા કરતું પંદરમું ધર્મનાથ સ્તવન આનંદઘનજીના અગિયારમા શ્રેયાંસનાથ સ્તવનનો પ્રભાવ દર્શાવે છે. એ જ રીતે વિભિન્ન દર્શનો પોતપોતાના દેવતાઓ જુએ છે, પરંતુ તે સર્વ એક જ પરમાત્મા છે. આ વાત આનંદઘનજીના પ્રસિદ્ધ પદ ‘રામ કહો રહમાન કહોની યાદ અપાવે છે.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org