SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ wo જી cops Jain Education International અત્યારે તે વાઘણપાળમાં ઊભા રહીને જોઈએ તે દેશના સામસામા એ મેટા સમૂહેા નજરે આવે છે. અને તે મને સમૂહને છૂટા પાડતા વચ્ચેાવચ્ચ જતા કેડા આદીશ્વરની ટૂક ભણી જાય છે. ડાબી બાજુનાં મા બધાં હારારે અને ઉત્તરાભિમુખ છે; જ્યારે જમણી બાજુનાં જિનાલયેામાં કાઈ આગળ અને કોઈ પાછળ છે; ને કેટલાંક પૂર્વાભિમુખ છે તેા કેટલાંક દક્ષિણ તરફ માં માંડીને ઊભાં છે. વિદ્યમાન દિશમાં સૌથી જૂનાં મંદિરો ડાબી તરફની હારમાં છે, અને તે વિ॰ સ૦ ૧૩૭૬ (ઈ॰ સ૦ ૧૩૨૦) ખાદના ઘેાડા સમયમાં બંધાયાં છે; જ્યારે જમણી બાજુનાં ાિમાં, સત્તરમા શતક જેટલાં જૂનાં ચારેક મદિરાને બાદ કરતાં, બાકીનાં બધાં અઢારમાઓગણીસમા શતકનાં છે. ડાબી બાજુનાં વિદેશમાં પણ એ વિદેશ સત્તરમા સૈકાનાં છે; જ્યારે ચૌદમા શતકનાં ચાર અને બાકીનાં અઢારમી-ઓગણીસમી સદીમાં બનેલાં છે. ભુલવણીનુ` મ`દિર ડાબી બાજુએથી પરિયાત્રા શરૂ કરીએ તે, શાંતિનાથના દેરાસર પછી, સૌપહેલાં તેા, જેને ‘વિમલવસહી’નું કે ‘ભુલવણી” નું મંદિર કહેવાય છે, તે બહાંતેર જિનાલયની રચના દૃષ્ટિગેાચર થાય છે (ચિત્ર ૧). આ રિ મહારાજ ભીમદેવ પ્રથમના દંડનાયક, આબુની વિમલવસહીના સ્થાપક મંત્રીશ્વર વિમલે અધાવ્યાની માન્યતા અઢારમા શતકથી પ્રચલિત અની છે; પણ વસ્તુતયા મદિરનું અસલી નામ ‘ખરતરવસહી’ હતું તેમ ચૈત્યપરિપાટીઓના નિરીક્ષણ પરથી જણાય છે. અહીં શત્રુંજય પર વિમલ મંત્રીએ મંદિર બંધાવ્યાના કોઈ જ પુરાણા સાહિત્યિક કે અભિલેખીય ઉલ્લેખ પ્રાપ્ત થયા નથી. પણ તે જિનાલય ‘ખરતરવસહી’ હાવાનુ ચૌદમાથી લઈ સત્તરમા શતક સુધી રચાયેલી શત્રુંજય-લક્ષિત તીમાળાઓમાં અસંદિગ્ધપણે જણાવ્યું છે. આ મંદિરને વિમલશાહનુ કહેવાના કારણમાં તે તેની અંદરની સાંગેાપાંગ સુંદર રચના અને કારણીવાળાં સ્તંભા અને છતા હૈાય તેમ જણાય છે. અને આ For Personal & Private Use Only E www.jainelibrary.org
SR No.005600
Book TitleTirthadhiraj Shree Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1975
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy