________________
નિવેદન આરાસણતીર્થ(કુંભારિયા)ના આરસનાં જગવિખ્યાત જૈનમંદિરોનો પ્રમાણભૂત ઐતિહાસિક તેમ જ કલાત્મક_પરિચય આપતી સચિત્ર પથદર્શિકાની માંગ યાત્રિકો તેમ જ પ્રવાસીઓ તરફથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ખૂબ થતી હતી. સાંપ્રત પ્રકાશનથી તે જરૂરિયાત હવે પૂર્ણ થાય છે. પથદર્શિકા પ્રા. મધુસૂદન ઢાંકીએ તૈયાર કરી આપી છે અને ચિત્રો વારાણસી સ્થિત અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયન સ્ટડીઝના સહકાર અને સહાયથી પ્રાપ્ત થયાં છે, જે એમના સૌજન્યથી અહીં પ્રગટ કરવામાં આવી રહ્યાં છે, જેની અહીં સાભાર નોંધ લઈએ છીએ.
અમદાવાદ વિ. સં. ૨૦૫૩
શેઠ આણંદજી કલ્યાણજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org